Abtak Media Google News

તમે પક્ષીઓને પ્રેમ કરો છો અને જુદા જુદા પક્ષીઓને જોવાનુ પણ ગમે છે, તમને તેના વિશે વધુ જાણવા માગો છો.તો તમારે નળ સરોવરથી વધુ સારી જગ્યા બીજી કોય જગ્યા ન હોય શકે… નળ સરોવર પોતાના પોતાના દુર્લભ જીવન ચક્ર માટે જાણીતું છે જેના કારણે એક અનોખી જેવવિવિધતા ને બચાવીને રાખેલ છે નળ સરોવર અનેક પ્રકારના  જીવ જંતુ માટે અનુકૂળ છે અને એક આહાર શ્રેણી બનાવે છે.2 101માછલીની લાલચ અહિયાં પક્ષિઓને આ જગ્યાએ આકર્ષિત કરે છે. ગુજરાતનું નળ સરોવર ભારતમાં તાજા પાણી અને બાકીની નમ્ર ભૂમિ વિસ્તારોથી ઘણા માયનોમાં ભિન્ન છે. શિયાળો માં યોગ્ય હવામાન, ખોરાકની યોગ્યતા અને સલામતી આથી તે પક્ષીઓને આકર્ષે છે.3 68શિયાળાના સમયમાં અહી લાખો સ્વદેશી પક્ષીઓ આવે છે. આતાલા બધા પક્ષીઓ આવવાથી નળ સરોવરના તેઓની અવર-જવરથી રોનકમાં વધારો થાય છે. આ ચહેલ પહેલને જોવા હજારો ની સખ્યામાં પર્યટકો આવે છે. પર્યટકો ઉપરાંત  પક્ષી નિષ્ણાત, વૈજ્ઞાનિક,અનેવિદ્યાર્થી પણ આવે છે.ક્યારેક કયારેક લાબા સમયથી ફરતા પક્ષી પ્રેમી પણ આવે છે.4 44ડિસેમ્બર અને જાન્યુઆરીમાં  તેઓની સખ્ય વધુ હોય છે. ફેબ્રુઆરીના અંતમાં ખોરાક એન પાણીનું સ્તર ઓછું એન વધતી જતી ગરમી વધવાને કારણે મહેમાન પક્ષીઓ પોતાના મૂળ ઘર તરફ પાછા ફરે છે. ગર્મી પછી પ્રકૃતિ બદલાય છે  અને ફરી પાછું જીવન ચક્ર ચાલુ થાય છે. નળ સરોવર વિવિધ પ્રક્રારની વનસ્પતિ,પક્ષીઓ,માછલીઓ,અને જીવ જંતુઓને આસરો આપે છે.5 35નળ સરોવરમાં વિદેશી અને સ્વદેશી પક્ષીઓ ની સંખ્યામાં દર વર્ષે વધતી જાય છે.નળ સરોવરમાં ૨૨૫ પ્રકરના વિદશી પક્ષી આવે છે.જેમાંથી સો પ્રકરના જલચર પક્ષી છે. જેમાં સરોવરમાં 19 પ્રકારની માછલીઓ,11 પ્રકારના સરીસૃપ,13 સ્તનપાયી  જાનવર જોવા મળે છે.6 26નળ સરોવરમાં  હંસ,સુરખાબ, રંગબે રંગી બતક,કિગ ફીસર, રાજ હંસ જેવા મુખ્ય પક્ષીઓ છે. કેટલીક વખત દુર્લભ પક્ષીઓ પણ જોવા મળી જાય છે.8 18નળ સરોવરની આસપાસ પક્ષીઓને ખલેલ થાય એવી હલન ચલન પર પ્રતીબંધ છે નળ સરોવરમાં મોટર બોટનો ઉપયોગ કરવા પર પ્રતીબંધ છે. સરોવરમાં સફર કરવા માટે વાસની નવનો, ઉપયોગ કરવામાં આવે છે. જે દરેક સમયે ત્યાં મોજુદ હોય છે.9 15જો ફોટોગ્રાફીનો શોખ છે તો તેના માટે જરૂરી છે આપણી પાસે ટેલીસ્કોપ, દુરબિન,કેમેરો જેવા સાધનો જરૂરી છે.પક્ષી હમેસા માણસોથી દુરિયા બનાવીને રાખે છે. પર્યટકો માટે સરોવર કિનારે ઘોડેસવારીનો આનંદ પણ માણી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.