Abtak Media Google News

જુનથી સપ્ટેમ્બર સુધીમાં ૯૩ ટકા વરસાદ પડવાની ધારણા

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે અને ચોમાસાનાં ચાર મહિના દરમિયાન સરેરાશ ૯૬ ટકા વરસાદ થશે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ વર્ષના દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં સેક્રેટરી ડો.એમ.રાજીવન અને ભારતીય હવામાન વિભાગનાં જનરલ સેક્રેટરી ડો.કે.જે.રમેશે જણાવ્યું હતું કે, આ વર્ષ ચોમાસા દરમિયાન જુનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ લગભગ સામાન્ય રહેવાનું અનુમાન છે. ૯૬ ટકા સરેરાશ વરસાદ થવાનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

૧૯૫૧ થી ૨૦૦૦ સુધીમાં ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ ૮૯૦ મિલીમીટર વરસાદ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષ ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાનાં છેલ્લા બે મહિનામાં તેની તીવ્રતા ઓછી રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસાનાં વરસાદનું વિતરણ પણ સારું રહેશે જે આગામી ખરીફ પાક માટે ખુબ જ લાભદાયક અને ઉપયોગી સાબિત થશે તો નવાઈ નહીં. આ પહેલા પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટે ૨૦૧૯માં દેશમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાનું અનુમાન કર્યું હતું. સ્કાયમેન્ટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસામાં એલપીએની સરખામણીમાં ૯૩ ટકા વરસાદ થઈ શકે છે.

જુન-સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસામાં એલપીએ સરેરાશ ૮૮૭ મીલીમીટરની સરખામણીમાં ઓછો વરસાદ થશે ત્યારે સ્કાયમેટ દ્વારા ચોમાસું નબળી રહેવાની ૫૫ ટકા શકયતા રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. અગાઉ સ્કાયમેટે ૨૫ ફેબ્રુઆરીએ રીપોર્ટ બહાર પાડી આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાનું પણ અનુમાન કર્યું હતું જોકે હાલ સ્થિતિમાં ખુબ જ પરીવર્તન જોવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ની પરિસ્થિતિ ખુબ જ વિકટ હતી. કહેવાય છે કે, મોદી સરકારના પ્રથમ બે વર્ષ વરસાદ માટે સહેજ પણ લાભદાયી નિવડયા ન હતા. આશરે ૧૦ ટકા વરસાદ ઓછો પણ નોંધાયો હતો.

ભારત દેશ દ્વારા ૨૦૧૬-૧૭માં વરસાદ થોડો સામાન્ય રહ્યો હતો. જયારે ખાદ્યપદાર્થોમાં ૨૭૫.૧૧ મિલીયન ટનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટે જણાવતા કહ્યું હતું કે, અલનીનોની સક્રિયતા આ વર્ષે ખુબ જ ઓછી રહેશે અને એલપીએ હેઠળ જુન, સપ્ટેમ્બર માસ સુધીમાં વરસાદ ૯૩ ટકા રહેવાની પણ સમગ્ર દેશમાં આશા સેવાઈ રહી છે ત્યારે ખેડુતો માટે આ ચોમાસાનું વર્ષ ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે અને આ ચોમાસામાં ખરીફ પાકનું વાવેતર પણ વધુ થાય તેવી આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.