Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથોસાથ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું અવિરત આયોજન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે બોટાદના જંગલમાંથી જુદા-જુદા 23 ગુનામાં વોન્ટેડ કુખ્યાત જુસબ અલ્લારખા નામના ગુનેગારને ઝડપી લેનારી ATSની ચાર વીરાંગના બહેનોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં આ ચારેય વિરાંગનાઓનું સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અંજલિબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.