Abtak Media Google News

સિવિલ હોસ્પિટલના નિષ્ણાંતો આપશે સેવા સેવાભાવી આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

શહેરનાં 150 ફૂટ રીંગરોડ ખાતે આવેલ ધર્મેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી રવિવારના સવારે 8.30 કલાકથી 12.30 કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ આયોજનમાં સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના સ્પેશ્યાલીસ્ટ ડોકટરો, ઓથોપેડીક, મેડીસીન, ગાયનેક, સ્કીન, બાળરોગ તથા ઈએનટી સર્વે રોગ નિદાન કેમ્પમાં સેવા આપશે. આ સાથે નિદાન કર્યા બાદ તેને લગતી દવાઓ પણ ફ્રી આ કેમ્પમાં આપવામાં આવશે.

આ કેમ્પમાં શહેરનાં સર્વે જરૂરતમંદ વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો ભાગ લઈ શકશે. જેમને જૂના કેસ હોય તેમને પોતાની ફાઈલ લઈને કેમ્પમાં હાજર રહેવું તેમ સંસ્થાની યાદીમાં જણાવેલ છે. કાર્યક્રમનું ઉદઘાટન શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લે તે માટે આગેવાનો ‘અબતક’ની મુલાકાતે પધાર્યા હતા. વિશેષ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો. 94264 60880 પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.