Abtak Media Google News

અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરૂણા ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે ભગીરથ કાર્ય

રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌશાળાઓ – પાંજરાપોળોમાં તથા બિનવારસી ગાય, ભેંસમાં લમ્પી વાયરસની નિ:શુલ્ક સારવાર કરતું અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનીમલ હેલ્પલાઈન. અત્યાર સુધીમાં 6000 ગાય, ભેંસને અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પલાઈન દ્વારા નિ:શુલ્ક રસી અપાઈ આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં મળતા સતત આશીર્વાદ રહે છે.

1657858823051

ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ ફેલાવો થાય છે.આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી, ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓનું ખાવા-પીવાનું છોડી દેવું, લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા, આ રોગને નિયંત્રણમાં લાવવા માટે ઈન્ફેકશન થઈ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુરંત જ પશુ ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી. રાજકોટમાં રસ્તે રઝડતા, નિરાધાર પશુઓમાં તેમજ ગૌ શાળા, પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ અર્હમ યુવા સેવા ગ્રુપ અને  કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન, રાજકોટ (મો.98980 19059 / મો. 9898994954) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિ:શુલ્ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્બ્યુલન્સ નાં ટ્રોલ ફી નં. 1962 પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી. અત્યાર સુધીમાં એનિમલ હેલ્પલાઈન દ્વારા શેની એ એનિમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા, સદભાવના બળદ આશ્રમ, કામધેનુ ગૌશાળા, વિશ્વનીડમ ગુરુકુલમ્ – ઈશ્વરીયા, વિજયાવંત ગૌ શાળા, કામધેનુ ગૌશાળા – કોઠારીયા, મામાપીર ગૌશાળા કોઠારીયા, બટુક મહારાજ ગૌશાળા, ગાયત્રી આશ્રમ રતનપર, રામચરિત ગૌશાળા રતનપર, ચંદ્ર મોલેશ્વર ગૌશાળા, ઓમ શાંતિ ગૌશાળા, નંદિની ગૌશાળા, સુરભિ સંપદા ગૌ શાળા જેવી ગૌ શાળાઓમાં તથા કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગૌશાળાઓ – પાંજરાપોળોમાં જઈને ગાય અને ભેંસને 6000થી વધુ લમ્પી રોગની નિ:શુલ્ક રસી મુકાવવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન, રાજકોટ ના આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સતત આશીર્વાદ મળી રહ્યા છે.

લમ્પી વાયરસ અંગે સારવાર કરાવવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને  કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ મો.98980 19059 / મો. 9898994954 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.