Abtak Media Google News

ગઢડાના ઇતરિયા પ્લોટ વિસ્તારની પરિણીતાએ ગળાફાંસો ખાઇ કરેલા આપઘાત અંગે મૃતકના પતિને અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાના કારણે ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે પતિ સહિત ત્રણ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા તાલુકાના લીંબડીયા ગામે રહેતી કાજલબેન પરબતભાઇ શિયાળ નામની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃતક કાજલના પતિ પરબત પરસોતમ શિયાળને અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાથી ગમતી નથી કહી મેણા ટોણા મારતા હોવાથી કાજલે અગાઉ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સમાધાન કરી પતિ પરબત તેડી ગયો હતો.

પતિ પરબતે અન્ય સ્ત્રી સાથેના સંબંધો ચાલુ રાખી કાજલને ત્રાસ દેતા હોવાથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા મૃતકના પિતા અશોકભાઇ જમોડે કાજલના પતિ પરબત

શિયાળ, સાસુ કનુબેન શિયાળ અને સસરા પરસોતમભાઇ શિયાળ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.