Abtak Media Google News

શહેરનાં જાણીતા અરવિંદભાઈ મણિયાર પરિવારનાં આંગણે રૂડો અવસર આવ્યો છે. મણિયાર પરિવારે દિકરીની લગ્ન કંકોત્રીમાં ગાંધી વિચાર વહેતો મુકયો છે. ઈકો ફ્રેન્ડલી કંકોત્રીમાં ખાદીને પ્રાધાન્ય આપવા આમંત્રણ પત્રિકા ખાદીનાં રૂમાલમાં બનાવાઈ છે. નાગરિક બેન્કનાં ડિરેકટર કલ્પેશભાઈ મણિયાર તથા જાગૃતિબેન મણિયારની પુત્રી ચિ.નિરજાના શુભલગ્ન નંદાબેન તથા સોમશેખર શીલવંનતનાં સુપુત્ર ચિ.પ્રતિક સાથે તા.૮/૧૨ને રવિવારનાં શુભદિને પેટ્રીયા લોન્સ, પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ રાજકોટ ખાતે નિરધાર્યા છે. ચાંદલામાં ગીર ગાયનું દુધ આપના અને આપના કુટુંબનાં સ્વાસ્થ્ય માટે તેમજ આપના બાળકોની યાદશકિત, સર્વાંગી, શારીરિક વિકાસ માટે દરરોજ લેવાનું ચાલુ રાખજો તેવો શુભ સંદેશો પણ કંકોત્રીમાં આપ્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.