Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લા 6 તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ ના ધરણા…

પડતર 15 પ્રશ્નો નો નિકાલ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી….

ગીર સોમનાથ જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ ની હડતાલથી મોટી અસર થશે…

Screenshot 3 4ગીર સોમનાથ જીલ્લા માં આજથી આરોગ્ય વિભાગ કમઁચારી મંડળ દ્વારા સરકાર મા પડતર પ્રશ્ર્નો નહી ઉકેલાતા અચોકકસ હડતાલ પર ઉતર્યા છે .

ગુજરાત ભરમા આરોગ્ય વિભાગ કમઁચારી મંડળ ના 35,000 થી વધુ કમઁચારીઓ આજથી અચોકકસ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના પણ 6 તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ દ્રારા પણ સરકાર મા પડતર 15 પ્રશ્નો નો કોઇ પણ નિકાલ આજદીન સુધી આવેલ નથી અને સરકાર દ્વારા કોઇ પણ હકારાત્મક અભિગમ ન આવતા ના છૂટકે આજથી અચોકકસ હડતાલ પર ઉતર્યા છે જેનાથી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ ની હડતાલ હોવાથી દદીઁઓ પર ખૂબ મોટી અસર થવાની છે અને આગામી સમયમા પણ જો કોઇ હકારાત્મક નિણઁય નહી આવે તો ઉગ્ર આંદોલન અને ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી છે .

Screenshot 5 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.