Abtak Media Google News

જલ્સા જેલ તરીકે પ્રખ્યાત બનેલી જેલના જેલર પરમાર અગાઉ સસ્પેન્ડ થયા તા

 

Advertisement

ગોંડલ ની સબજેલ માં જેલ સહાયક ત્રાસ આપતા હોવા ના આક્ષેપ સાથે ચાર કેદીઓ એ હાથ પર કાચ ના છરકા મારી આત્મહત્યા ના પ્રયાસ ની ઘટના ની સનસની હજુ શાંત પડી નથી ત્યાંજ જેલ કમઁચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશક ને પત્ર લખી જેલ માં રહેલા માથાભારે કેદીઓ દ્વારા એનકેન પ્રકારે ત્રાસ અપાતો હોવા ની રજુઆત કરાતા ’ ઉલ્ટી ગંગા’ સમી ઘટના ચકચારી બની છે.

પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા ચાર કેદીઓ દ્વારા કાચ થી હાથ પર છરકા મારી આત્મહત્યા નો પ્રયાસ કરાયો હતો. આ કેદીઓ એ એક જેલ કમઁચારી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બનાવ અંગે હજુ તપાસ ચાલુ છે ત્યાં જ સબજેલ  સ્ટાફ ના તેર જેટલા ગાર્ડીંગ કમઁચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશક ને ત્રણ પાના નો પત્ર પાઠવી જેલ કમઁચારીઓ નુ મોરલ તુટે તે પ્રકારે કેટલાક માથાભારે કેદીઓ મનમાની ચલાવી ત્રાસ ગુજારતા હોવાની રજૂઆત કરી છે.

રજુઆત મા જણાવાયુ છે કે સબજેલ માં કેટલાક માથાભારે કેદીઓ દ્વારા જેલ મા અનધિકૃત પ્રવૃતિઓ કરવા દેવા અને અનધિકૃત વસ્તુઓ લેવા દેવા માટે જેલ સ્ટાફ નડતરરુપ ના થાય તે માટે જેલ અધિક્ષક ને સ્ટાફ વિરુદ્ધ ખોટી રજુઆતો કરી સ્ટાફ નુ મોરલ તોડવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.આવા કેદીઓ દ્વારા ખોટી માંદગી ઉભી કરી જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવાતી વેળા જેલ કમઁચારીઓ  સાથે રસ્તા મા અભદ્ર વતઁન કરાય છે.

રજુઆત મા વધુ મા જણાવાયુ કે જેલ અધિક્ષક ગમારા રજા પર હતા ત્યારે ચાર્જ મા આવેલા અધિકારી ગઢવી એ આવા માથાભારે કેદીઓ સામે કડક કામગીરી કરી હોય જેલ મા શાંતિ હતી. જેલ અધિક્ષક ગમારા રજા પર થી ફરજ પર હાજર થતા આવા તત્વો દ્વારા ફરી ત્રાસ શરુ કરાતા કમઁચારીઓ ને ડર છે કે આ કેદીઓ દ્વારા ખોટા આક્ષેપો ને કારણે સ્ટાફ ને કોઈ  પણ પ્રકાર ની શિક્ષા કે સસ્પેન્ડ થવા ની ભીતી છે.થોડા સમય પહેલા હવાલદાર જગદીશભાઈ સોલંકી પર સ્ટોર ના કેદી દ્વારા હુમલો કરાયો હતો.

જેલસ્ટાફ ને નહી ગાંઠતા માથાભારે કેદીઓ દ્વારા જેલ મા સંગઠન બનાવી જેલસ્ટાફ ને માનશીક તો ક્યારેક શારીરીક ત્રાસ અપાતો હોવાની વિગતો રજુઆત મા જણાવાઇ છે.

જેલ કમઁચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશક ને લખાયેલા પત્ર અંગે જેલ અધિક્ષક ગમારા એ જણાવ્યુ કે આવી રજુઆત અંગે મને કોઈ જાણ નથી.

ઉલ્લેખનીય છે કે ગોંડલ ની સબજેલ એક સમયે જલ્સાઘર તરીકે જાણીતી બની હતી.જેલ મા રહીને ગેરકાનુની પ્રવૃતિઓ માટે નિખિલ દોંગા તથા તેની ગેંગ સામે  ગુજસીટોક લગાવાઇ હતી.જેલ ની જલ્સાઘર પરિસ્થિતિ સામે જેલર પરમાર  સસ્પેન્ડ થયા હતા અને તેની સામે પણ ગુજસીટોક લગાવાઇ હતી.જેલર સામે ગુજસીટોક લાગી હોય તેવી ગુજરાત ની આ પ્રથમ ઘટના છે. થોડી શાંતિ બાદ ફરી ગોંડલ ની સબજેલ ચર્ચાસ્પદ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.