Abtak Media Google News

ગત શૈક્ષણિક ધો. 1ર અથવા ડિપ્લોમાં 60 ટકાથી વધુ માર્કસ મેળવેલ અને બી.ઇ. બી.ટેક. બી.ડી.એસ. એમ.બી.બી.એસ. બી.એડ. બી.બી.એ. એમ.બી.એ. બી.સી.એ. એમ.સી.એ. એ.આઇ. સી.ટી. યુ.જી.સી વગેરે જેવા વ્યવસાયિક ડીગ્રી કોર્સમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ માજી સૈનીક-તટરક્ષકદળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત 30 એપ્રિલ 2021 સુધીની વધારવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો માટે જીલ્લા સૈનિક અને પુર્નવસવાટ કચેરી રાજકોટનો 0281-2476825 નંબર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.