આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામ ખાતે ગુજરાત રાજ્ય સરકાર ના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ હસ્તે સમાપન કરવામાં આવ્યું.
ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે “ ગુજરાત સરકારે પીવાના પાણી, રસ્તા તેમજ આરોગ્ય ની ચિંતા કરી છે ત્યારે આ સુજલામ સુફલામ જળ અભિયાન ની યોજના થી સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ આવનારા દિવસો મા ખેડૂતોને કૃષિ આવકમાં વધારો થશે”.
આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, માજી મંત્રી કિરીટસિંહ રાણા, માજી. ધારાસભ્ય વર્ષાબેનદોશી,ઉપસ્થિત રહ્યા હતા.
આ જળ અભિયાન સમાપન માં મોટી સંખ્યામાં લોકો ની હાજરી જોવા મળી હતી.