Abtak Media Google News

અબડાસા સમાચાર

Website Template Original File1 19

અબડાસા તાલુકાના વાયોર ગામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ખારાઇ ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઘણી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં રાત્રે સંતવાણીના કલાકાર ભગવતીબેન ગોસ્વામી,નરેન્દ્રસિંહ જાડેજા એ સંતવાણીની મોજ મણાવી હતી.

જેમાં આજે બપોરે મહાપ્રસાદ અને સાંજે મહા આરતીનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે.આજુબાજુ ગામડા થી લોકો રાત્રે સંતવાણી ની મોજ માણવા માટે ઉમટ્યાં હતાં.સિદ્ધેશ્વર મહાદેવ એ પૌરાણિક મંદિર છે અને દર વર્ષે શ્રાવણી અમાસ ના બપોરે ભવ્ય ભંડારો અને ચૌદશની રાત્રે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ભવ્ય સંતવાણી નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.

 રમેશભાઈ ભાનુશાલી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.