Abtak Media Google News

રાજય સરકારે માગણીઓનો વિસ્તૃત ચાર્ટ તૈયાર કર્યો છે

ગુજરાતમાં પૂરના નુકશાન પેટે કેન્દ્ર પાસે  રૂ.૪૭૦૦ કરોડની માગણી રાજય સરકારે કરી છે. ઉલ્લેખનીય છે કે રાજય સરકારે વિવિધ માગણીઓનો વિસ્તૃત ચાર્ટ તૈયાર કર્યો છે.

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતમાં તાજેતરના પૂરથી થયેલા નુકસાન માટે વળતર તરીકે રૂ. ૪,૭૦૦ કરોડની માંગણી કરીને ભારત સરકારને એક મેમોરેન્ડમ તૈયાર કર્યું છે. રાજ્ય સરકારે માગણીઓનો વિસ્તૃત ચાર્ટર તૈયાર કર્યો છે અને વિવિધ પ્રકારના નુકસાન માટે વળતરની માંગણી કરી છે.

ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટે એક મેમોરેન્ડમ તૈયાર કર્યું છે, જે પૂર રાહત કાર્ય માટે રૂ. ૪,૭૦૦ કરોડની માગણી કરે છે. નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે “કૃષિ અને સહકારી મંડળીઓ, રસ્તાઓ અને ઇમારતો, સિંચાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને અન્ય વિભાગોમાંથી ઇનપુટ લીધા પછી, રાજ્ય સરકારે એક નિવેદન તૈયાર કર્યું છે જે ટૂંક સમયમાં જ ભારત સરકારને સુપરત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ૫૦૦ કરોડ રૂપિયા પ્રારંભિક સહાય આપી હતી. અગાઉની રકમ ઉપરાંત, રૂ. ૪,૭૦૦ કરોડની નાણાકીય સહાયની માગણી કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રૂ. ૪,૭૦૦ કરોડના રૂ. ૧,૭૦૦ કરોડની કૃષિ પેદાશ અને કૃષિ જમીન માટે અંદાજિત નુકસાન છે, જ્યારે રૂ .૭૦૦ કરોડ રાજ્ય ધોરીમાર્ગો અને ગ્રામ્ય રસ્તાઓને નુકસાન માટે છે.

“વધુમાં, આશરે રૂ. ૫૦૦ કરોડની સિંચાઈ સુવિધાઓ પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી છે. શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જાહેર માળખાકીય સુવિધાઓ જેવા જાહેર માળખાઓની પુન:સ્થાપના માટે રૂ. ૧૦૦૦ કરોડથી વધુની માંગણી કરવામાં આવી છે.”

મુખ્યમંત્રી વડા પ્રધાનને મેમોરેન્ડમ પ્રસ્તુત કરવા માટે ટૂંક સમયમાં નવી દિલ્હીની મુલાકાત લેવાની શક્યતા છે. પાંચ દિવસ દરમિયાન તેમણે પૂરગ્રસ્ત જીલ્લાઓમાં છાવણી કરી હતી, રૂપાણીએ બનાસકાંઠા અને પાટણ માટે રૂ. ૧૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે ધનારા શહેર માટે ભંડોળની ખાસ ફાળવણીની પણ જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.