Abtak Media Google News

અમરેલીના રિકાડીયા ગામે યુ.પી.એલના પ્રોન્યુટિવા પ્રોગ્રામનો લાઈવ ડેમો

યુ.પી.એલ. દરેક પાકના સર્વાંગી અને સતત વિકાસ માટે આતુર: આશિષ ડોભાલ

પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરતી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપની UPL લિમિટેડને ગુજરાતમાં પ્રોન્યૂટિવા સદા સમૃદ્ધ ગ્રાઉન્ડનટ પ્રોગ્રામ સાથે ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે . આ પ્રોજેક્ટનો વ્યાપ મે , 2021 માં વધારવામાં આવ્યો હતો , જેનાથી પાકની ઉપજમાં ઉત્કૃષ્ટ વધારો થયો છે , આ પરિણામો દર્શાવવા UPL એ અમરેલીમાં રિકાડિયા ગામમાં લાઇવ ડેમોનું આયોજન કર્યું હતું, જેમાં 750 થી વધારે ખેડૂતો , ગામના સરપંચ અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

પ્રોન્યૂટિવા સદા સમૃદ્ધ પ્રોજેક્ટના કાર્યક્ષેત્ર અંતર્ગત મગફળીના ખેડૂતોને આઇપીએમ કિટ્સ , જમીનનું પરીક્ષણ , હવામાન સેવાઓ , પાક પર સલાહ અને હાઈ – ટેક સક્ષમ ખેડૂત મિકેનાઇઝેશન સેવાઓ જેવી સંકલિત કૃષિલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી મગફળીની ઉપજ અને આવકમાં વધારો થાય . તેમણે યુપીએલનાં પથપ્રદર્શક ઉત્પાદન  ઝેબા  નો ઉપયોગ પણ કર્યો હતો, જે પાણી અને પોષક દ્રવ્યોને શોષીને પ્લાન્ટને જરૂર હોય ત્યારે મુક્ત કરે છે . પ્રોજેક્ટ મગફળીના ખેડૂતોના ઉત્થાન માટે ટેકનોલોજી સેવાઓ સાથે ઉચિત જાણકારી અને સલાહના મહત્વની સાથે સમગ્ર દેશમાં અતિ વળતરદાયક મગફળીની ખેતીને પ્રોત્સાહન આપવાની સંભાવના પણ પ્રદર્શિત કરે છે , જેના પરિણામે ખાદ્ય અને પોષક દ્રવ્યોની સુરક્ષામાં પ્રદાન થઈ શકશે તેમજ દેશના ખાદ્ય તેલના અભિયાનમાં મદદ મળશે.

વી ગવર્નન્સ નોલેજ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના પરિણામોએ દર્શાવ્યું હતું કે,  ઝેબા  ના ઉપયોગ અને કાર્યક્રમ અંતર્ગત અન્ય તમામ સેવાઓ સાથે સ્વસ્થ છોડની સંખ્યામાં 20 ટકા સુધીનો , પેગ ફોર્મેશન્સની સંખ્યામાં 25 ટકા સુધીનો , સિંગના દાણાઓની સંખ્યામાં 35 ટકા સુધીનો વધારો થયો હતો તથા આ તમામ સુધારો સિંગના વજનમાં 51 ટકા સુધીના વધારા તરફ દોરી ગઈ છે . જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા અભ્યાસે તેલમાં 1.45 ટકાના વધારાનો , દાણાના પ્રોટિનમાં 1.68 ટકા સુધીના વધારાનો અને કાર્બોહાઇડ્રેટમાં કુલ 0.72 ટકાના વધારાનો સંકેત આપ્યો છે . ધ ગ્રાન્ટ થોર્નન દ્વારા અભ્યાસ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ થશે.

આ પ્રોગ્રામની સફળતા પર UPL ના ઇન્ડિયા ફિલ્ડ માર્કેટિંગના હેડ સર્વેશ કુમારે કહ્યું હતું કે ,” ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ચાવીરૂપ રાજ્ય છે અને દેશમાં કોઈ પણ રાજયની સૌથીવધુ ક્ષમતા ધરાવે છે. આ વિસ્તારમાં ખેડૂતો સફેદી કીડાનો ઉપદ્રવ , જળનું વ્યવસ્થાપન , જમીનમાં પોષક દ્રવ્યોની ઊણપ જેવી સમસ્યાઓનો સામનો કરે છે.અમારા પ્રોગ્રામે ઉત્કૃષ્ટ પરિણામો રજૂ કર્યા છે

UPL લિમિટેડના ભારતના રિજનલ હેડ આશિષ ડોભાલે કહ્યું હતું કે ,  UPL દરેક પાકના સર્વાંગી અને સતત વિકાસ માટે આતુર છે , જે પ્રોન્યૂટિવા સદા સમૃદ્ધ કાર્યક્રમનો ઉદ્દેશ છે.

અમરેલીના ઇશ્વરિયા ગામના મગફળીની ખેતી કરતાં ખેડૂત દિનેશભાઈ રુપાલાએ કહ્યું હતું કે ,  અમે મગફળીનું વાવેતર કરવાનું છોડવાની યોજના ધરાવતા હતા , કારણ કે એમાં ઓછી ઉપજ અને આવક મળતી હતી , પણ સદા સમૃદ્ધ પ્રોજેક્ટ અંતર્ગત UPL ની ટીમના હસ્તક્ષેપ અને સાથસહકાર સાથે ઉપજ 50 ટકાથી વધારે મળવા ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાને કારણે અમારા પાકની ઊંચી કિંમત પણ મળી છે.

અમરેલીના રિકાડિયા ગામના રોહિતભાઈ મોવાળિયાના ખેતરમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું . તેમણે કહ્યું હતું કે , મેં મારા ખેતરમાં પ્રોન્યૂટિવા પેકેજનો ઉપયોગ કર્યો હતો . પરિણામે મને મારી મગફળીમાં સિંગની વધારે સંખ્યા , વજન , ગુણવત્તાયુક્ત મોટી સાઇઝની સિંગ સાથે મળી છે.

અમરેલીના દહિડાનાં હંસરાજભાઈ હાપાણીએ કહ્યું હતું કે , ” ભારત 70 ટકાથી વધારે ખાદ્ય તેલની આયાત કરે છે . જો આ પ્રોજેક્ટનો સમગ્ર ભારતમાં અમલ થાય , તો ટૂંક સમયમાં આપણે તેલમાં આત્મનિર્ભર બનીશું , જેથી આપણે આપણું વિદેશી હૂંડિયામણ બચાવીશું તેમજ દેશને સ્વસ્થ રાષ્ટ્ર બનાવીશું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.