Abtak Media Google News

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલી

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોનાં સ્વરાંજલિ કાર્યક્રમ ‘કસુંબીનો રંગનું ભવ્ય આયોજન થયું હતું. નવી પેઢી આપણાં સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સ્તંભતીર્થ વીશા શ્રીમાળી જૈન મંડળ (અમદાવાદ) દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. સાક્ષર, સ્વાતંત્ર-સેનાની રામનારાયણ વિ. પાઠકના નિમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે આવેલા ઝવેરચંદ મેઘાણીએ ત્યાંનાં યુવા વિદ્યાર્થીઓને ગીતો સંભળાવ્યાં હતાં જે ખાસ ઉલ્લેખનીય છે. જૈન કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની વયે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્ય રચેલું તેથી સમસ્ત જૈન સમાજ એમનું સવિશેષ ગૌરવ અનુભવે છે.02 2

આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિકભાઈ શાહ અને તેમના ધર્મપત્ની ડો. રંજનબેન શાહ, જૈન સમાજના અગ્રણીઓ મુકતકભાઈ કાપડીયા, મનોજભાઈ ઘીયા, જતીનભાઈ ઘીયા, નૃપેશભાઈ શાહ, તુષારભાઈ શાહ, વિપુલભાઈ કાપડીયા, જીગ્નેશભાઈ ગાંધી, શિતલભાઈ શાહ, ધર્ણેન્દ્રભાઈ કાપડીયા, પ્રીતિબેન ઘીયા, રૂપાબેન કાપડીયા, ફાલ્ગુની શાહ અને હેતલબેન શાહ, આજીવન લોકસેવિકા  પૂર્વ સાંસદ જયાબેન વજુભાઈ શાહ પરિવારના ડો. અક્ષ યભાઈ શાહ અને ડો. અમિતાબેન શાહ-અવસ્થી, નિવૃત્ત જોઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કે. કે. ચાવડા, સિવિલ હોસ્પીટલના નિવૃત્ત આરએમઓ ડો. કનુભાઈ બોરીચા, ગૂજરાત વિદ્યાપીઠના કેમ્પસ ઈન્ચાર્જ અભુભાઈ દેસાઈ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, નેશનલ યુથ પ્રોજેક્ટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, શિક્ષણવિદ્ એચ. કે. દવે (સુરેન્દ્રનગર), રાજપૂત સમાજના પ્રધ્યુમનસિંહ ચુડાસમા (ધોલેરા) અને યુવરાજસિંહ જાડેજા (ગાંધીનગર), ઉદ્યોગપતિ ભરતભાઈ કારાણી (દુબઈ-વડોદરા), ગોવિંદભાઈ જાદવ, ભરતભાઈ  રૂપાબેન  મિતાલી મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કાર્યક્ર્મને મન મૂકીને માણ્યો.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે રમઝટ બોલાવી. હાસ્યકાર હરિસિંહ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં સહુને મોજ કરાવી. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, દરિયો ડોલે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ તેમજ  રઢિયાળી રાતમાંથી ચાંદો ઊગ્યો ચોકમાં,  દાદા હો દીકરી, સવા બશેરનું મારું દાતરડું, કાન તારી મોરલી જેવાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થયા. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણી’ આસ્વાદ-રૂપે રજૂ થઈ.

સ્તંભતીર્થ વીશા શ્રીમાળી જૈન મંડળ (અમદાવાદ)ની કમિટીએ કલાકારો અને વિશેષ આમંત્રિતોનું સ્મૃતિરૂપે ચાંદીનાં સિક્કાથી અભિવાદન કર્યું હતું. કાર્યક્ર્મને સફ્ળ બનાવવા પિનાકી મેઘાણી, જતીનભાઈ ઘીયા, અભુભાઈ દેસાઈ, ગોવિંદસંગભાઈ ડાભી અને સાથીઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.