Abtak Media Google News

વિધાનસભામાં તળાવ કૌભાંડ નહી ઉખેડવા ધારાસભ્યએ ૪૦ લાખની માંગણી કરી હતી

મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયાને આ મુદ્દો વિધાનસભામાં નહિ ઉઠાવવા કૌભાંડિયાઓ સાથે ૪૦ લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી અને તે પેટે વકીલ ભરત ગણેશિયા મારફતે ૧૦ લાખ ચુકવવામાં આવ્યા હોવાનો ખુલાસો  મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં કર્યો હતો.

મોરબી જિલ્લામાં આચરવામાં આવેલા તળાવ કૌભાંડ મામલે ગઈકાલે મોડીરાત્રે એલસીબી દ્વારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને વકીલ ભરતભાઇ ગણેશિયાની અટકાયત કરી  સવારથી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી હતી જેમાં મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ સાંજે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય અને વકીલની અટકાયત અંગે સતાવાર વિગતો આપી હતી.

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તળાવ કૌભાંડમાં અગાઉ માજી ઈજનેર સહિત ચાર શખસોની અટકાયત કરી ઊંડાણ પૂર્વક તપાસ દરમિયાન પોલીસને પૂરતા પુરાવા મળ્યા હતા કે હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ન નહિ ઉખેડવા તેમના વચેટીયા એવા વકીલ ભરત ગણેશિયા મારફતે ૪૦ લાખમાં ડીલ થઈ હતી જે પેટે ૧૦ લાખ રૂપિયા ધારાસભ્યને ચૂકવાયા હતા અને બાકીની રકમના ચેક સંડોવાયેલ મંડળીના હોદેદારો દ્વારા આપવામાં આવ્યા હતા.

આમ, મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પૂરતા પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની સતાવાર ધરપકડ બતાવતા ચકચાર જાગી છે.

જેના પગલે સુરેન્દ્રનગર ના ધાગધ્રા અને હળવદ ના ધારા સભ્ય પુરુષોત્તમ ભાઈ સાબરીયા ની તળાવ કોભાડ મામલે પોલીસ તપાસ અને એ ડિવિઝન દવારા પૂછપરછ કરવા મા આવી હતી જેમાં નાની સીચાય યોજના મા ૩૦ કરોડ રૂપિયા જેટલા નું કોભાડ થયું હોવાની આગાવ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધાગધ્રા અને હળવદ ના ધારા સભ્ય પુરુષોત્તમ ભાઈ સાબરીયા ની તળાવ કોભાડ મામલે પોલીસ તપાસ અને એ ડિવિઝન દવારા પૂછપરછ કરવા મા આવી  હતી .

વધુ મા મોરબી જિલ્લા પોલીસ વડા એ આપેલી માહિતી મુજબ કુલ આ કોભાંડ મા ૭ વ્યક્તિઓ ની ધરપકડ કરવા મા આવી છે. આજે કોર્ટ મા ૭ વ્યક્તિઓ ને કોર્ટ મા રજૂ કરવામાં આવશે

નાની સિંચાઇ કૌભાંડમાં કોંગ્રેસ ખકઅ પરસોતમ સાબરીયાની પોલીસે કરી પૂછપરછ

Img 20181028 200948મોરબી જીલ્લામાં કરોડોનું સિંચાઈ કોભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે આજે સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી એ ડીવીઝન પોલીસની ટીમે હળવદના ધારાસભ્યને પૂછપરછ માટે બોલાવતા સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે.

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા ક્ધસલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા આ મામલે સાંસદ દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી અને બાદમાં રાજ્ય સરકારની ટીમોએ કરેલી તપાસમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો અને ફરિયાદ બાદ નિવૃત મદદનીશ ઈજનેર સહીત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી.

એ-ડીવિઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ૧૨ થી વધુ ગામોમાં સ્થળ તપાસ પણ કરી હતી. જેમાં ગત મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને મોરબી લાવી પૂછપરછ કરવામાં આવી છે.કોંગ્રેસી ધારાસભ્યની પૂછપરછને પગલે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો પહોંચી ગયા છે તો જીલ્લા એસપી વાઘેલા પણ એ ડીવીઝન પોલીસ મથકે હાજર છે અને સઘન પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. જોકે ધરપકડ અંગે પોલીસ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી અને સિંચાઈ કૌભાંડમાં પૂછપરછ માટે ધારાસભ્ય સાબરીયાને બોલાવ્યા હોવાનું જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.