Abtak Media Google News

સાદાઇ અને સાધુતાના પ્રતિક – ઢેબરભાઇ અંકના વિમોચન પ્રસંગે બહોળી સંખ્યામાં મહાનુભાવોની ઉ૫સ્થિતિ.

સિસ્ટર નિવેદિત શૈક્ષણિક સંકુલના વિઘાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હસ્તલિખિત અંક સાદાઇ અને સાધુતાના પ્રતિક- ઢેબરભાઇનું વિમોચન ખાદી વીલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન- મુંબઇના પૂર્વ ચેરમેન તેમ જ રચનાત્મક પ્રવૃતિના અગ્રણી દેવેન્દ્રભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવેલ.

અતિથિવિશેષ દેવેન્દ્રભાઇ દેસાઇઉે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે સિસ્ટમ નિવેદિતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થતું ત્રેમાસિક સમુદગાર અને નિયમીત રીતે મળે છે અને તેના માઘ્યમથી સંસ્થાની અનેકવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલો રહું છું. શ્રી ગુલાબભાઇ જાની દ્વારા સંસ્થામાં યોજાતા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા નિયંત્રણ મળતાં રહે છે. પરંતુ મારી વ્યસ્તતાને લીધે આજ સુધી હાજર રહી શકાયું ન હતુ તે સદભાગ્ય મને આજે પ્રાપ્ત થયું છે. સંસ્થા દ્વારા ચાલતી હસ્તલિખિત અંકની શૈક્ષણિક પ્રવૃતિના ઉપક્રમે તૈયાર થયેલ હસ્તલિખિત અંક સાદાઇ અને સાધુતાના પ્રતિક – ઢેબરભાઇના વિમોચન કાર્ય માટે મને તક પ્રાપ્ત થઇ છે ઉષાબેન જાની અને ગુલાબભાઇ જાનીનો આભારી છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.