Abtak Media Google News

વન વીક વન રોડ અંતર્ગત દેના બેંક ચોકી ઢેબર રોડ ચોક સુધીના વિસ્તારમાં ૧૦ સ્ળે માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલા દબાણનો સફાયો

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શનિ જયંતિએ જ ઢેબર રોડ વન-વેમાં હનુમાનજીના મંદિરનું દબાણ હટાવવામાં આવતા ભાવિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, ડિમોલીશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. દેના બેંક ચોકી ઢેબર રોડ ચોક સુધીના વિસ્તારમાં ૧૦ સ્ળે માર્જીન-પાર્કિંગના દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા.

આજે વોર્ડ નં.૭માં હા ધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં ઢેબર રોડ વન-વેમાં નવકાર ચેમ્બરની બાજુમાં ફૂટપા પર મારબલનું હનુમાનજી મંદિરનું દબાણ દૂર કરી દેવામાં આવ્યું હતું. શનિ જયંતિએ જ હનુમાનજી મંદિર હટાવતા રોષ જોવા મળ્યો હતો. જો કે મંદિર હટાવવા માટે અગાઉ જ નોટિસ આપવામાં આવી હોય. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આ ઉપરાંત એ-ડીવીઝન પોલીસ સ્ટે.બાજુમાં, પીજીવીસીએલ સબ સ્ટેશન પાસે, જયુબેલી ચેમ્બરના માર્જીનમાં, એલઆઈસી બીલ્ડીંગ સામે, જયુબેલી દરવાજા નજીક, નવકાર ચેમ્બર પાસે અને પંચના ટી-સ્ટોલ તા નિર્ભય પાન પાસે માર્જીન તા પાર્કિંગમાં ખડકાયેલા કેબીન, છાંપરું, ઓટલા સહિતના દબાણો દૂર કરવામા આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.