Abtak Media Google News

લીલાવતી નેચરોપથી સેન્ટરમાં પ્રવચન: દાનવીર આર.કે.શાહનું અભિવાદન

ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર રિસર્ચ સેન્ટરના ઉપક્રમે જાણીતા જૈનમુનિ ધીરજમુનિ મ.સા.નું રવિવારે પ્રવચન યોજાયેલ. આ પ્રસંગે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે મુશ્કેલી સંજોગોમાંથી નહિ પરંતુ ખોટી સમજણમાંથી જ ઉભી થાય છે. મનની સમસ્યાનું સમાધાન જ્ઞાનથી થાય છે. પ્રકૃતિના પરિવર્તનથી પ્રસન્નતા પ્રાપ્ત થયા વિના રહેશે નહિં. જાણીતા દાનવીર આર.કે.શાહનું વિજય ભાઇ શેઠ, કે.ડી. કરમૂર વગેરે તેમજ કાટકોલાના સરપંચ શિલ્પા કે. કરમુરનું આર.કે.શાહ અને મીનાક્ષી શાહનું પારૂલ શાહે સન્માન કરેલ. જ્યારે જૈન ભોજનાલયના રમેશભાઇ શાહ વગેરેની સેવાને બિરદાવવામાં આવેલ.

કાલે લાલપુરમાં પૂ.ધીરગુરૂદેવનું આગમન-પ્રવચન

Dsc 1843 C

પૂ.ધીરગુરૂદેવ તા.14ને મંગળવારે સવારે 8:00 કલાકે લાલપુર પધાર્યા બાદ 9:30 કલાકે વ્યાખ્યાન અને સંઘ જમણ યોજાશે. જશાપરના ઇતિહાસમાં પ્રથમવાર તા.26/6ના ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે પધારવા કે.ડી.કરમુર, નારણ ગાગલીયા, ભીખુ કરમુરએ અનુરોધ કર્યો છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.