Abtak Media Google News

ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતાં પરીવારમાં કલ્પાંત 

રાજકોટની વાલ્કેશ્ર્વર સોસાયટીમાં પત્નીને કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા પતિએ તેના આઘાતમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વાલ્કેશ્ર્વર સોસાયટીમા રહેતો અને મજુરી કામ કરતા હરસુખભાઇ (ઉ.વ.પપ) એ પરિવારજનો કોઇ કારણસર બહાર ગયા હતા.

ત્યારે પોતે ઘરે એકાંતમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જયારે પરિવારજનો સાંજના સમયે ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખોલી જોતા હરસુખભાઇ ગળાફાંસો ખાઇ ગયેલા હાલતમાં જોવા મળતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

આ બનાવ અંગે ભકિતનગર પોલીસનાા જમાદાર ભરતસિંહ અને પ્રવિણભાઇ ગઢવીએ ઘટનાં સ્થળે જઇને વધુ કાર્યવાહી કરતા જણાવ્યું હતું કે હરસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. અને તેના પત્નિ કોરોના પોઝિટીવ આવ્યો હોવાના ડરના કારણે આ પગલુ ભર્યાનું પુછતાછ દરમિયાન જાણવા મળ્યું હતું. હાલ ભકિતનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.