રાજકોટમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજથી બે દિવસ માટે મહાવીર સ્વામીની ૨૫૪૩મી જન્મ જયંતિની ઉજવણીનો ભવ્યારંભ કરવામાં આવ્યો છે. સ્થાનકવાસી મોટા સંઘ દ્વારા આજે સવારે પરંપરાગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા ત્રિકોણબાગથી વિરાણી પૌષધ સુધી પ્રભાત ફેરીમાં બહોળી સંખ્યામાં જૈન અગ્રણીઓ જોડાયા હતા આ તકે ‘અબતક’ના મેનેજીંગ ડિરેકટર અને જૈન અગ્રણી સતિષભાઈ મહેતા, ઈશ્ર્વરભાઈ દોશી, જયોતીન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, અનીમેષભાઈ રૂપાણી, હરેશભાઈ વોરા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે. મેયર દર્શીતાબેન શાહ, શહેરભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતીનભાઈ ભારદ્વાજ, પ્રવાસન નિગમના ડીરેકટર માંધાતાસિંહ જાડેજા, ધનસુખભાઈ વોરા, નિલેશભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, પીયુષભાઈ મહેતા, કિશોરભાઈ કોરડીયા, મયુરભાઈ શાહ, રસીકભાઈ પારેખ, સીપી દલાલ અને ડોલરભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે સુશાંત મુની મહારાજ સાહેબે ધર્મ પ્રવચન પણ કર્યું હતુ.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી