Abtak Media Google News

કોરોના સમયમાં આપણે ઓક્સીઝનની મહત્તા ખુબ સારી રીતે જાણી ચુક્યા છીએ. કુદરતી ઓક્સીઝન પૂરો પાડતા વૃક્ષ પર્યાવરણનું મહત્વનું અંગ છે.

87C

વર્ષ 2021-22 માં 72 માં વન મહોત્સવ હેઠળ રાજકોટ જિલ્લાની 13 નર્સરી ખાતે વન વિભાગ દ્વારા 15.79 લાખ રોપાઓનો ઉછેર તેમજ વેચાણ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 52 વિકેન્દ્રિત નર્સરીઓ હેઠળ 6.60 લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યાનું નાયબ વન સંરક્ષક  રવિ પ્રસાદ રાધેક્રિશ્નનએ જણાવ્યું છે.

તુલસીના પાન અનેક રીતે ગુણકારી છે, તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખુબ મદદરૂપ બને છે, તે સાબિત થયું છે. ત્યારે હાલ કોરોના સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા રાજ્ય સરકાર દ્વારા ખાસ આ વર્ષે ખાસ 1 લાખ 80 હજાર તુલસીના રોપાઓ ઉછેરનો ખાસ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જે અંતર્ગત 51 હજાર ગુણકારી તુલસીના રોપા તૈયાર થઈ ચુક્યા હોવાનું  રવિ પ્રસાદે જણાવ્યું છે.

86C

રાજકોટ જિલ્લામાં રાજકોટ, લોધીકા, પડધરી, ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા તાલુકાની વિવિધ નર્સરીઓમાં આંબા, આમળા, અરડુસી, અર્જુન સાદડ, આસોપાલવ, અરીઠા, બદામ, બહેડા,બંગાળી બાવળ, બીલી, બોરસલી, ચંદન, દાડમ, દેશીબાવળ, ગરમાળો, ગોરસઆંબલી, ગુલમહોર, ગુંદા,ગુંદી, જામફળ, જાંબુ, કણજી, કરંજ, કાસીદ, કાંઠી, કાઈજેલીયા, ખેર, ખાટીઆંબલી, ખીજડો, લીમડો, લીંબુ, મહુડો, નીલગીરી, પેલ્ટોફોર્મ, પીન્કેસીયા, પેન્ડુલા, પીપળ, રેઈન ટ્રી, રાયણ, સાગ, સાદડ, સરગવો, સીંદુર, સવન, સીરસ, સીતાફળ, સીસુ, શરૂ, ઉમરો, વડ, વાંસ, ફુલછોડ અને અન્ય રોપાઓનો ઉછેર કરવામાં આવે છે.

કલકતા વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર  ટી.એમ. દાસના એક રિસર્ચ મુજબ 50 વર્ષનુ વૃક્ષ તેના જીવનકાળ દરમ્યાન 15 લાખથી વધુનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ માનવ જીવનને આપે છે. જેમાં વૃક્ષ દ્વારા ઉત્પન કરાતો ઓક્સિજન, હવાનું શુદ્ધિકરણ, જમીનનું સંરક્ષણ, પશુ-પંખીઓનું સંરક્ષણ સહીત અનેક રીતે વૃક્ષ માનવ જીવનને ઉપયોગી બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.