Abtak Media Google News

 સ્વાતિ પાર્ક પાસે શ્રમીકે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત

શહેરમાં પત્ની રિસામણે ચાલી જવાના કારણે ગળાફાંસો ખાઈ આપઘાતના બે બનાવ બન્યા છે. એક ધારીનાં યુવકે નવાગામ વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો જ્યારે બીજા બનાવમાં પોતાની પત્ની માવતર ચાલી જવાની ખબર મળતાં યુપીના યુવકે સ્વાતિ પાર્ક પાસેના કારખાનાના પટમાં આવેલા ઝાડ પર ગળાફાંસો ખાઈ લીધો હતો.બંને બનાવની જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી છે. અંગેની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ધારીનો અને ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો સદામ ઈશભાઈ શાડ નામના 30 વર્ષીય યુવકે નવાગામ વિસ્તારની હરિદ્વાર સોસાયટીના ભાડાના મકાનમાં લૂંગી વડે ગળાફાંસો લેતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબ દ્વારા જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફે પ્રાથમિક તપાસ હાથધરી હતી. જેમાં મૃતક સદામભાઈની પત્ની આશિયાનબેન છેલ્લા બે માસથી રિસામણે માવતર ચાલી ગઈ હતી જેથી માઠું લાગી આવતા પગલું ભરી લીધું હતું.

તે ઉપરાંત અન્ય બનાવમાં મૂળ યુપીનો અને હાલ કોઠારીયામાં રહી મજૂરી કરતો પ્રમોદ મિસરિલાલ ગૌતમ નામના 19 વર્ષીય યુવકે સ્વાતિ પાર્ક પાસે જીત ઇન્ડસ્ટ્રીયલના પટમાં આવેલા ઝાડ સાથે લટકાઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવના પગલે આજી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં ઉત્તરપ્રદેશમાં રેહતી પોતાની પત્ની માવતર ચાલી ગઈ હોવાની ખબર પડતાં પોતે આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.