Abtak Media Google News

22 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ઉપાડી પરત કરવાના રહેશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના ઇડબ્લ્યુએસના નિર્માણ પામેલા 590 આવાસો તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર વિસ્તારમાં ખાલી રહેલ એલઆઈજી પ્રકારના 137 પૈકી 100 આવાસના ફોર્મ તા.20 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી મેળવી શકાશે અને વિગત ભરીને પરત કરી શકાશે.ઓનલાઈન પણ આવાસનું ફોર્મ ભરી શકાશે.

આ અંગે વધુ માહિતી આપતા  મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા મેઈન રોડ, જયપ્રકાશ નગરની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના ઇડબ્લ્યુએસ પ્રકારના કુલ 590 આવાસ તથા રેલનગર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અગાઉ બનાવવામાં આવેલા અને હાલ ખાલી પડેલ 137 આવાસો પૈકી 37 આવાસોની હાલત થોડી વધુ ડેમેજ થયેલ હોય તેનો આ ફોર્મ વિતરણમાં સમાવેશ કરેલ નથી. જ્યારે સામાન્ય નુકસાની ધરાવતા બાકીના 100 આવાસોનો લાભાર્થીઓ લાભ લઈ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી 22 ઓગષ્ટ સુધી ફોર્મ વિતરણ થશે. લાભાર્થી દ્વારા આ સમયગાળામાં ફોર્મ મેળવી શકાશે અને વિગત ભરીને પરત કરી શકાશે.

ઇ ડબ્લ્યુ એસ-1 પ્રકારના આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ. 3000 ડીપોઝીટ ભરવાની રહેશે.   કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3.00 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ  આવાસમાં અંદાજીત 30 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું,  વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસની કિંમત રૂ.8.50 લાખ અને ફોર્મ સાથે રૂ. 20,000 ડીપોઝીટ ભરવાની રહેશે કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.1 લાખ થી 2.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ યોજનામાં હયાત આવાસ જે હાલતમાં છે તે જ હાલતમાં સ્વીકારવાના રહેશે.    આ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રહેતા લોકો જ આ આવાસ યોજનાના ફોર્મ ભરી શકશે.  મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસમાં અંદાજીત 45 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે.

રાજકોટ મહાનગર પાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી સાંજે 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.રાજકોટ મહાનગ રપાલિકાની ઠઠઠ. છખઈ.ૠઘટ.ઈંગ  વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.