Abtak Media Google News

મોરબી જિલ્લામાં ‚રૂ ૩૪૮૯.૨૯ લાખના ખર્ચે નિર્માણ થયેલ છ ૬૬ કે.વી સબ સ્ટેશનનું મંત્રીના હસ્તે લોકાર્પણ,ભુમિપુજન

કોઈપણ ખેડુત પોતાના ખેતરમાં ખેતી આધારિત ઉધોગ સ્થાપવા માંગે તો અગ્રતાના ધોરણે વીજ કનેકશન આપવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એમ ઉર્જા અને કૃષિ મંત્રી  ચિમનભાઇ સાપરિયાએ ગઈકાલે મોરબી જિલ્લામાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લીમીટેડના વાકાનેર મોરબી અને ટંકારા તાલુકાના ૬૬ કે.વી. સબ સ્ટેશનના લોકાર્પણ તેમજ ભુમિ પુજનનાયોજાયેલ કાર્યક્રમમાં ઉપર મુજબ જણાવ્યું હતું

મંત્રી  ચિમનભાઇ સાપરિયાએ વાંકાનેર તાલુકાના રૂ.૩૩૬.૮૫ લાખના ખર્ચે ૬૬.કે.વી. જાલીડા સબ સ્ટેશન, રૂ.૫૩૩.૦૫ લાખના ખર્ચે પંચાસર ખાતે રૂ.૧૨૮૫.૩૯ લાખના ખર્ચે લાકડધાર-૨ તેમજ ટંકારા તાલુકાના સરાયા ગામે ૬૬.કે.વી. સબ સ્ટેશન રૂ.૪૨૯ લાખ, હડમતીયા સબ સ્ટેશન રૂ.૩૯૫ લાખ તથા મોરબી તાલુકાના પાનેલી ગામે રૂા ૫૧૧ લાખના ખર્ચે ૬૬.કે.વી.સબ સ્ટેશનના મળી કુલ રૂા ૩૪૮૯.૨૯ લાખના ૬ નવનિર્મિત થયેલ સબ સ્ટેશનોના કામના તક્તિ અનાવરણ કરી લોકર્પણ તેમજ મોરબી તાલુકાના નીચી માંડલ ૬૬.કે.વી. સબ સ્ટેશનના રૂ.૮૫૦ લાખના ખર્ચે થનાર કામનું ભુમિપુજન મંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં મંત્રી  સાપરિયાએ જણાવ્યું હતું કે ખેડુતોને તત્કાલ યોજના હેઠળ અગ્રતાના ધોરણે વિજ કનેકશન મળે તે માટે સરકારે નિર્ણય કરેલ છે. સાથે ખેડુતો જરૂરિયાત મુજબ વિજલોડ વધારો અને ઘટાડો કરી થકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મંત્રી  ચિમનભાઇ સાપરિયાએ જણાવ્યું કે રાજ્યના સંવેદનસીલ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઇ પટેલે ખેડુતો, ઉદ્યોગકારો અને લોકોને પુરતો ગુણવતાવાળો વિજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ વિજ સબ સ્ટેશનોનુ નિર્માણ કરવા નિર્ણય કર્યો છે.વર્ષ ૨૦૦૧થી ૨૦૧૭ સુધીમાં ૧૭૦૦ વિજ સબ સ્ટેશન કાર્યોન્વીત કરાયા છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જુદા જુદા વિભાગના મળી કુલ ૩૭૫ નિર્ણયો લોકોને લાભ થાય તે પ્રમાણે લીધા છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં આ સબ સ્ટેશનો કાર્યોન્વીત થવાથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો , ઉદ્યોગોને પુરતો વિજ પુરવઠો મળતો થશે તેમ જણાવ્યું હતું

મોરબી જિલ્લામાં સબ સ્ટેશનો ઝડપી કાર્યાન્વીત કરવામાં થતી જમીન સંપાદનની કામગીરીમાં ત્વરિત નિર્ણયો કરી જમીન ફાળવનાર જિલ્લા કલેકટર  આઈ.કે.પટેલની કામગીરીને મંત્રી એ બીરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે સાંસદ  મોહનભાઇ કુંડારીયાએ સરકારે વિકાસ કામો માટે કરેલા સંકલ્પોમાં મેળવેલ સિધ્ધીઓને લોકો સુધી પહોચાડવા વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં સંકલ્પ સિધ્ધી કાર્યક્રમ ચાલી રહ્યા છે.. તેમ જણાવી તેમણે નીચીમાંડલ ગામમાં ગેસ. ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન ના કામો પૂર્ણ થઈ ગયેલ છે. આ તમામ વિકાસ કામોમાં ગામના લોકો મારા પણાનો ભાવ રાખી કામોની જાળવણી કરે તે જરૂરી છે. તેમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્ર્મની શરૂઆતમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) ના એડિશનલ ઈજનેર   ડી.કે. વાસદડીયાએ સ્વાગત ઉદબોદન તેમજ કાર્યક્રમના અંતમાં અધિક્ષક ઈજનેર  એન .એન.ભટ્ટ એ આભાર દર્શન કર્યુ હતું. મંત્રી  અને ઉપસ્થિત મહાનુભાવો એ સબ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર  આઈ.કે.પટેલ. જિલ્લા વિકાસ અધિકારી  એમ.એસ.ખટાણા.ધારાસભ્ય  બાવનજીભાઇ મેતલીયા. ધારાસભ્ય  કાંતીભાઇ અમૃતિયા, જિલ્લાના પ્રભારી અને માજી ધારાસભ્ય  મેધજીભાઇ કણઝારીયા, મંત્રી ના કાર્યલય સચીવ  જે.કે.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ  રાઘવજીભાઇ ગડારા, પી.જી.વી સી.એલ.ના. અધિક્ષક ઈજનેર  ભલાણી, તાલુકા ભાજપ પ્રમુખ .ગોરધનભાઇ સરવૈયા તેમજ ગ્રામ સરપંચ ઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.