Abtak Media Google News

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર ખાતે પ્રાથમિક વિભાગમાં સુઘડ પુસ્તક, ગણવેશ, સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સુઘડ પુસ્તકમાં શીયા રામાણી, ઝલક મોણપરા, દેવ કાંજીયા અને સુઘડ ગણવેશમાં ક્રિષા મણીયાર, ભવ્ય ઊંધાદ, પ્રીત મોજીદ્રા તેમજ સુલેખન સ્પર્ધામાં જીયા રંગાણી, ક્રીસ ગોહેલ, હિરાણી ગોસ્વામીએ પ્રથમ, દૃતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે.Img 20180721 Wa0010

Advertisement

વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, ટ્રસ્ટી રમેશભાઈ ઠાકર અને અનિલભાઈ કિંગરે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મરે જહેમત ઉઠાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.