ખોરાકને લઇને થોડીક પણ બેદરકારી દાખવતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ખાદ્ય પદાર્થ ખરાબ થવા પર તેમાં રહેલા બેક્ટેરિયા સાત કલાકમાં એક લાખ ગણા વધી જાય છે. આ પરિસ્થિતિમાં બજારમાંથી અનહાઇજેનિક ખાદ્ય પદાર્થ ખાવાથી તમને ઉલ્ટી, ઝાડા, તાવ, પેટમાં દુખાવો અથવા ચક્કર આવવાની સમસ્યા સર્જાય છે. ફૂડ પૉઇઝનિંગ ખરાબ ગુણવત્તાના ખાદ્ય પદાર્થને કારણે થાય છે. જ્યારે ખોરાકને યોગ્ય રીતે રાંધવામાં ન આવે અથવા ઢાંકીને રાખવામાં ન આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે અને તે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. દુનિયામાં સૌથી વધારે ઔસ્ટ્રેલિયાના લોકો બગડેલા ખોરાકથી બિમારીનો ભોગ બને છે. આવી રીતે રાખો ખોરાકનું ધ્યાન : – ગરમ અને ઠંડા ખોરાકને અલગ-અલગ રાખો. – ફૂડ પ્રોડ્ક્ટ્સ ખરીદતી વખતે તેનું લેબલ અને સીલ ચોક્કસપણે ચેક કરી લો. – ફ્રિઝમાંથી બહાર રાખેલા ફ્રોઝન ફૂડનો ઉપયોગ ન કરો. – અયોગ્ય રીતે રંધાયેલો ખોરાક ન લો. – પહેલાથી તૂટેલા ઇંડાંનો ઉપયોગ ટાળો.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા