Abtak Media Google News

પતિ અને સસરાના ત્રાસથી કંટાળી પરિણિતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

 

રાજકોટ નજીક નવાગામના દિવેલીયાપરામાં રહેતી પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇ પોલીસને જણાવ્યું હતું કે અમૃત કે તેના પતિ અને સસરાના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું છે પુસ્તકના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે તેને જીવન ટૂંકાવવા પોલીસે પતિ અને સસરા વિરૂદ્ધ આપઘાતની ફરજનો ગુનો નોંધી ધરપકડ કરી છે.બનાવ અંગની મળતી માહિતી મુજબ નવાગામના દિવેલીયાપરામાં રહેતી સોનલબેન રાહુલભાઇ તલવાડિયા નામની 25 વર્ષીય પરણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય પ્રાથમિક પૂછતાછમાં મૃતકના ભાઈએ સવજી વિઠ્ઠલભાઈ પરાલીયા (રહે. રેશમીયા, તા.ચોટીલા)એ જણાવ્યા પ્રમાણે તેની બહેનના લગ્ન બે વર્ષ ચાર મહિના પહેલા મુળ વિંછીયા તાલુકાના છાશીયા ગામના વતની ચંનાભાઈ આંબાભાઈ તલવાડીયાના પુત્ર રાહુલ સાથે થયા હતા.

હાલ બધા દિવેલીયાપરામાં રહેતા હતા.લગ્નજીવન દરમ્યાન તેની બહેનને પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જે હાલ 10 માસની છે. આઠ માસ પહેલા તેની બહેન રીસામણે આવી હતી ત્યારે પતિ જે કારખાનામાં કામ કરે છે, ત્યાં કામ કરતી મહિલા સાથે સંબંધ હોવાથી તેને ત્રાસ આપી રહ્યાની ફરિયાદ કરી હતી. જેનાથી કંટાળી રીસામણે આવી હતી. એકાદ માસ પહેલા તેની બહેન ફરીથી રીસામણે આવી હતી ત્યારે કહ્યું હતું કે પતિને કારખાનામાં એક મહિલા સાથે અફેર હોવાથી કારખાનું બદલાવવાનું કહેતા તેની સાથે ઝઘડો કર્યો હતો.

સસરાને આ બાબતે ફરિયાદ કરતા તેણે મારા દીકરાને ફાવે તેમ કરશે તેમ કહી દીધું હતું. આ રીતે તેની બહેન એકાદ માસ રીસામણે રહ્યા બાદ સાતેક દિવસ પહેલા દીવેલીયાપરામાં જ રહેતા મામા વિજયભાઈ ડેરવાલીયાએ સમાધાન કરાવી તેની બહેનને પરત સાસરે મોકલી દીધી હતી. આ પછી પણ પતિ અને સસરામાં કોઈ સુધારો થયો ન હતો. જેને કા2ણે આખરે તેની બહેને અંતીમ પગલું ભરી લીધું હતું. જેથી મૃતકના ભાઇની ફરિયાદ પરથી પોલીસે પતિ અને સસરા વિરૂદ્ધ આપઘાત ની ફરજ પાડયાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.