Abtak Media Google News

મોટા મોટા બિઝનેસમેનથી લઇને સામાન્ય વ્યક્તિ કોઇને કોઇ વસ્તુ પર આંખ બંધ કરીને વિશ્ર્વાસ કરે છે. ક્રિકેટ જગત પણ આમાથી બાકાત નથી. કોઇ ‚માલ અથવા કોઇ બ્રેસલેટને લકી માને છે.

હાલ શિખર ધવનથી લઇને વિરાટ કોહલી જેવા યંગ ક્રિકેટર્સ પણ અમુક વાત પર વિશ્ર્વાસ કરે છે.

૧-યુવરાજ સિંહ :

૨૦૧૧ના વર્લ્ડ કપના મેન ઓફ ધ સીરીઝ રહેલો યુવરાજ સિંહ હંમેશા ૧૨ નંબરની જર્સી પહેરે છે. આજ તારીખે તેનો જન્મ દિવસ પણ આવે છે. તેમજ કાંડા પર એક કાળા રંગનો દોરો પણ પહેરે છે.

૨- રવિચંદ્રન અશ્ર્વિન :

તેણે કહ્યું કે તેની પાસે એક બેગ છે જે તેના માટે તો નહી પરંતુ ટીમ માટે ખૂબ લકી છે. ૨૦૧૧ વર્લ્ડકપમાં અશ્ર્વિને બે મેચ રમ્યા હતા. પરંતુ ટીમ જ્યાં પણ ગઇ હતી. ત્યાં આ બેગ તેમની સાથે જ રહ્યું હતું.

૩- મહેન્દ્રસિંહ ધોની :

પૂર્વ કેપ્ટન અને હાલ વિકેટ કિપર મહેન્દ્રસિંહ ધોની ૭ નંબરને લકી માને છે. તેનો જન્મ પણ ૭ તારીખે જ થયો હતો. તેમજ તેની જર્સીનો નંબર પણ ૭ જ છે.

૪- વિરાટ કોહલી :

હાલના સમયમાં સૌથી ખતરનાક બેટ્સમેન તરીકે જાણીતો વિરાટ કોહલી કશામાં વિશ્ર્વાસ નથી રાખતો પરંતુ તેનુ માનવું છે કડું તેના માટે સૌથી લકી છે. સચિન તેંડુલકરની જેમ તે પોતાના ગ્લબ્ઝને સંભાળીને રાખે છે. જેનાથી તે રન બનાવે છે તે જ્યારે પણ બેટિંગ કરવા માટે ઉતરે છે. ત્યારે ગ્લબ્ઝને બીજીવાર પહેરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.