Abtak Media Google News

દરેક શનિવાર કે શુક્રવારે તમે જોયું હશે કે ઘરના મોટા વડીલો મુખ્ય દરવાજા પર લીંબુ મરચા બદલે છે. આ દિવસે રસ્તા પર ઘણા બધા લીંબુ-મરચાના ઢગલા જોવા મળે છે. જેના પર પગ ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. જો ભૂલથી પણ તમારો પગ તેના પર આવી જાય તો તે અશુભ મનાય છે. જો કે આજની પેઢી આ વાત પર જરાય વિશ્વાસ કરતી નથી. તમે માનશો નહિં પણ આમ કહેવા પાછળ પણ એક કારણ છે.

Advertisement

જો તમારો પગ તેનીપાર પડીજાય તો અશુભતો માનવામાં આવે છે.જો આવું રસ્તા પર પડેલું હોય તો તેનાથી દુર રહીને ચાલવું જેથી કરીને આપણું અપશુકન નો થાય. તમે મોટા ભાગના વડીલોને કહેતા સાંભળ્યુ હશે કે, રસ્તા પર જો લીંબુ-મરચા પડેલા હોય તો તેના પર પગ મુકવો નહિં. તેની પાછળ અંધવિશ્વાસ નથી.

આ પાછળનું એક મોટુ કારણ એ છે કે, જે લોકો લીંબુ-મરચા પર પગ મુકીને આગળ જાય છે, તે વ્યક્તિ પર પણ નકારાત્મક ઊર્જા અથવા ખરાબ નજર નો પ્રભાવ શરૂ થઈ જાય છે. જ્યોતિષિઓનું માનવું છે કે તેમની બઢોતરી અને સારા કાર્યોમાં અડચણો આવવા લાગે છે, કારણ કે નકારાત્મક ઊર્જા જીવનને પ્રભાવિત કરે છે. પરિણામે રસ્તા પર પડેલા લીંબુ-મરચા પર ક્યારેય પગ મુકવો નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.