Abtak Media Google News

ગર્ભાવસ્થાએ મહિલાઓના જીવનનો એક ઉત્તમ અવસર છે જેમાં તે એક માતા બને છે આ અવસર ઈશ્વરે ફક્ત મહિલાઓને જ આપ્યો છે જેમાં તેને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. શું ખાવું, શું પીવું વગેરે…ગર્ભાવસ્થામાં તો દરેક સ્ત્રી પોતાનું ખુબ જ ધ્યાન રાખે છે પરંતુ ગર્ભાવસ્થા બાદ પણ સ્ત્રીએ પોતાનું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

હમેશા ડિલીવરી પછી મહિલાઓનો શરીર અંદરથી બહુ નબળું થઈ જાય છે. તેથી તેને એવા આહારની જરૂર હોય છે. જે તેમના શરીરને ફરીથી અંદરથી મજબૂત બનાવી શકે. આવું જ એક આહાર છે ઘી ડિલીવરી પછી ઘીનું સેવન બહુ ફાયદાકારી હોય છે. તેના સેવનથી ડિલીવરીના કારણે આવી નબળાઈ પણ દૂર થઈ જાય છે. આજે અમે તમને પ્રેગ્નેંસી પછી ઘી ખાવાના ફાયદા જણાવી જઈ રહ્યા છે.

ડિલિવરી પછી તમારા શરીરમાં જબરદસ્ત શારીરિક અને હોર્મોનલ ફેરફારો થાય છે. જેમ તમે સ્તનપાન કરાવો છો, તમારા શરીરને દરરોજ વધારાની કેલરીની જરૂર પડે છે જે ઘીમાં હોય છે.

પ્રેગ્નેંસી પછી ઘી ખાવાના ફાયદા…

1. ઘીમાં પોષક તત્વોથી ભરપૂર માત્રા હોય છે. ડિલીવરી પછી મહિલાના શરીરમાં બહુ નબળાઈ આવી જાય છે. જેનાથી હાડકાઓમાં દુખાવો રહેવા લાગે છે. તેથી ઘીનું સેવન બહુ ફાયદાકારી હોય છે. તેનુ સેવનથી સાંધામાં આવી ચિકણાઈની ઉણપ પૂરી થઈ જાય છે.

2. કેટલીક મહિલાઓને ડિલીવરી પછી માથાનું દુખાવોની સનસ્યા Aથાય છે, પણ જો નિયમિત રૂપથી ઘી નો સેવન કરે છે તો તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે.

3. ઘી એક પૌષ્ટિક આહાર છે, જેના સેવનથી પ્રેગ્નેંસી પછી આવેલી નબળાઈ સરળતાથી દૂર થઈ જાય છે.

4. ડિલીવરી પછી ઘીનું સેવનથી માતાના શરીરમાં દૂધની માત્રા સારી થઈ જાય છે જે તેના બાળક માટે બહુ ફાયદાકારી હોય છે.

5. જો તમે નિયમિત રૂપથી પ્રેગ્નેંસી પછી દેશી ઘીનું સેવન કરો છો તો તેનાથી તમારું પેટની પરત પર આવેલી સોજા ખત્મ થઈ જાય છે. તેના સેવનથી ડીલીવરી પછી પેટની પરેશાનીઓને દૂર કરવામાં મદદ મળે છે.

કોઈ પણ નુસ્ખા અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.