Abtak Media Google News

જન્મદિન નિમિતે ઉપલેટાથી જામજોધપુર જમીને પરત ફરતા અકસ્માતમાં મોતને ભેટયા: પરિવારજનોમાં શોકનો માહોલ

જામજોધપુર બાર એસોશીએશનના પ્રમુખ જયેન્દ્રભાઈ નાથાભાઈ મકવાણાનો ગઈકાલે જન્મદિવસ હતો. જન્મદિવસે જ જયેન્દ્રભાઈ મકવાણાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનોમાં માહોલ શોકમય બની ગયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ જામજોધપુર બાર એસોશીએશનના પ્રમુખ જયેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ.૪૧) ગઈકાલે રાત્રે પોતાના જન્મદિન નિમિતે સહ પરિવાર જામજોધપુરથી ઉપલેટા હોટલમાં જમવા ગયા હતા. ત્યારે જમીને પરત ફરતા સીદસર નજીક નવા પુલ પાસે તેમની કારનું ચલાવવું કાબુમાં ન રહેતા પુલ સાથે અથડાયા હતા જેમાં જયેન્દ્રભાઈ મકવાણાનું મોત તેમજ તેમના પત્નીને કપાળે ઈજા થવા પામી હતી. બે બાળકોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.