Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરમાં રહેતી સગીરા કે જેનો સચાણાના ઉર્ષના મેળામાંથી અપહરણ થઈ ગયું હતું, અને તેણી સાથે અડપલાં કરવામાં આવ્યા હતા. જે અંગે જામનગરના બેડીના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરાંત આ કાર્યમાં મદદગારી કરનારા અન્ય ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરની છે જ્યાં સગીરાનું ૨૪ એપ્રિલના રોજ સચાણાંમાં યોજાયેલા ઉર્ષના મેળામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેણીનું અપહરણ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ ઓસમાણભાઇ જામ નામના શખ્સ દ્વારા કરાયું હતું જેમાં ત્રણ મિત્રોએ મદદકરી હતી.

 

સગીરાને ધ્રોલ તરફ લઈ ગયા પછી તેણી સાથે અડપલાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સગીરાને જામનગર ઉતારી દઈ ભાગી છૂટ્યા હતા. આ બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા પંચ કોશી એ. ડિવિઝનમાં પરિવારજનો સગીરાને લઈ ગયા હતા, અને ત્યાં અપહરણ કરનાર આરોપી ઇબ્રાહીમ જામ સામે ફરિયાદ નોંધાવી હતી.

સગીરાએ અપહરણમાં મદદ કરનાર અન્ય ત્રણ મિત્રોના નામો પણ આપ્યા હતા. આ બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસે અપહરણ તેમજ પોકસો સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તમામને શોધી રહી છે, જ્યારે સગીરાની જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.