Abtak Media Google News

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે જામનગર પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારે હડફેટે લેતા બાઈક સવાર ભરવાડ યુવાનનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના ધોરીમાર્ગ પર વરણા ગામ નજીક ગઈકાલે સવારના ૯.૧૫ વાગ્યાના અરસામાં એક મોટર સાયકલ ને મોટર કારના ચાલકે હડફેટે લેતાં મોટર સાયકલમાં જઈ રહેલા વંથલી ગામના યુવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યુ હતું.

આ અકસ્માત કેસની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગર તાલુકાના વંથલી ગામમાં રહેતા કરણાભાઈ કાનજીભાઇ ટોળીયા (ઉ.વ. ૩૫)) ગઈકાલે સવારના ધુતારપરથી પોતાના ગામ જામવણથલી મોટર સાયકલ પર નિકળ્યા હતાં. ત્યારે વરણા ગામ નજીક પહોંચ્યા અને આ માર્ગ પર સામેથી આવી રહેલી જીજે-૦૩-એએચ-૪૭૩૬ નંબરની મોટર કારના ચાલકે મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સજર્યો હતો.

આ જીવલેણ ટકકરમાં બાઈક ચાલક કરણાભાઈ કાનજીભાઈ ટોળીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યુ હતું અને કાર ચાલક નાસી છુટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અમરાભાઈ કાનજીભાઈ ટોળીયાની ફરિયાદ પરથી કર ચાલક સામે ઈ.પી. કો. કલમ ૨૭૯,. ૩૦૪(અ), ૩૩૭ તથા એમ.વી. એકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાર ચાલકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.