Abtak Media Google News

જામનગર ના સમાજસેવક મહાવીર દળ સંચાલિત માણેકબાઈ સુખધામ ’આદર્શ સ્મશાન’માં શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિમાનું પુન: સ્થાપન કરવામાં આવ્યું હતું. રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક ગુરુ રાકેશભાઈ ના હસ્તે શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિમાનું પૂજન કરી વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું.

Advertisement

Img 20230412 Wa0049

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, સમાજ સેવક મહાવીર દળના ટ્રસ્ટી ઓ દિપકભાઈ ઠક્કર, દર્શનભાઈ ઠક્કર, ડો. જોગીનભાઈ જોષી વગેરે અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સાધકો અને સત્સંગી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.