Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરમાં અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં  દેહ વિક્રીયનો વેપાર કરવા માટે કુટણખાનું ચલાવાતું હોવાની બાતમીના આધારે ગત રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો. પોલીસે કોટણખાનું ચલાવનાર મહિલા અને બે પુરુષ ગ્રાહકોની અટકાયત કરી લઈ કુટણખાનામાંથી રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરમાં અંધાશ્રમમાં આવાસ કોલોનીની છે જ્યાં બ્લોક નંબર ૩૩-૧ માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ ઉર્ફે દલુ માવજીભાઈ વાળા નામની મહિલા કે જે સિલાઈ કામની  આડમાં કુટણખાનું ચલાવી રહી હતી અને બહારના રાજ્યમાંથી યુવતીઓને બોલાવી પોતાના રહેણાંક મકાનમાં દેહવિક્રિયનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી બે પુરુષ ગ્રાહકો મળી આવ્યા હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન પશ્ચિમ બંગાળના કલકત્તામાંથી બે યુવતીઓને બોલાવવામાં આવી હતી, જેમાં એક યુવતી એક સપ્તાહ પહેલા આવી હતી, જ્યારે બીજી યુવતી ગઈકાલે જ આવી હતી. એલસીબીની ટીમે ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી નીતાબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો જેમાં જામનગરમાં સિલ્વર સોસાયટી ટીટોડી વાળી વિસ્તારમાં રહેતા સલીમ ઈકબાલભાઈ પિંજારા (ઉ.વ 24) તેમજ મૂળ અર્નાકુલમના વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા નિખીલ જયધવન નામના ૨૧ વર્ષના શખ્સ ની અટકાયત કરી લીધી હતી.

એલસીબીની ટીમે કુટણખાનામાંથી ૧૭૦૦ની રોકડ રકમ બે નંગ મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી હતી. જ્યારે બે પરપ્રાંતીય યુવતીઓ કે તેઓના નિવેદન નોંધી તેઓને સાક્ષી બનાવવામાં આવી છે. આ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૭૦-૩ તથા ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સન રક્ત ૧૯૫૬ ના કાયદાની કલમ૩-૧,૪-૧,૫-૧બી,૬-૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.