Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા એક આઘેડ ગઈકાલે ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કરતાચકચાર મચી જવા પામી હતી ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના નાગનાથ ગેઇટ વિસ્તારની છે જ્યાં રહેતા રાજુભાઈ હરસીભાઇ મકવાણા નામના ૫૨ વર્ષના આધેડ કે જે મહાનગરપાલિકાની કચેરીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બીજાવે છે.

તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.