Abtak Media Google News

જામસાહેબ દ્વારા જાહેર જનતાને જોગ જણાવાયું છે કે, કોરોના વાઈરસની મહામારીના સમયને ધ્યાનમાં રાખી આપણાં વિસ્તારમાં વધારે ફેલાય નહીં તે હેતુથી આ વર્ષે તા. ૨૩-૦૬-ર૦ર૦ના રોજ હું અષાઢી બીજ ઉજવીશ નહીં. મારા નિવાસ સ્થાને હું શમીયાણો ઉભો કરી અને તેના છાયામાં ખુરશીઓ રખાવીશ નહીં, મીઠું મોઢુ કરાવીશ નહીં. એટલે જામનગરની જનતાને અને મારા સગા-સંબંધીઓને વિનંતી કરૃં છું કે આ વર્ષે અષાઢી બીજના દિને મારા નિવાસસ્થાને આવવાનું કષ્ટ ના કરશો. હું આપ સૌની લાગણીને મનથી માની લઈશ. આપ ફક્ત મને યાદ કરી અને ધ્યાન કરજો. સૌને મારી શુભેચ્છા અને અષાઢી બીજનાં જામસાહેબના જય માતાજી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.