Abtak Media Google News

માસીયાઇ ભાઇની પત્ની સાથે આંખ મળી જતા દિયર ભોજાઇ વચ્ચે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ

સમાધાનની રકમના મુદ્દે થયેલી બોલાચાલીમાં છરી ના ઘા ઝીંકી માસીને વેતરી નાખી

અબતક, રાજકોટ

જેતપુર તાલુકાના નવાગઢ વિસ્તારમાં આવેલી બળદેવધાર પાસે પરિણીતા  સાથે માસીયાઇને પ્રેમ સંબંધના સમાધાન પેટે બે લાખની માંગણી મામલે માસીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર શખ્સને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસે ઝડપી લઇ હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર નજીક બળદેવધાર પાસે ગણપતિ દાદાના મંદિરના પાછળના ભાગે રહેતી રેખાબેન ભરતભાઇ સોલંકી નામની પરિણીતા પર સાવરકુંડલા ખાતે રહેતો મુન્ના કનુ પટોળીયા નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની વિધાન ભરત સોલંકી નામના યુવાને જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી મુન્ના પટોળીયા ની પત્ની સાથે માસીયાઇ ભાઇ વિધાન  સોલંકીને પ્રેમસંબંધ હોય જેની જાણ પતિ મુન્નાને થઇ હતી. બાદ વડીલોની દરમ્યાનગીરીથી સમાધાન થયું હતું. બાદ મુન્ના પટોળીયા પત્નીને લઇ વતન સાવરકુંડલા ખાતે રહેવા ગયો હતો.

બાદ મુન્ના પટોળીયા કાલે અમારા ઘરે આવી ફરીયાદીના માતા રેખાબેન સાથે બોલાચાલી કરી તારી પુત્ર વિધાનને મારી પત્ની સાથે લફરુ હતું. તેના સમાધાનના બે લાખ મને આપો જેથી રેખાબેને કહેલું કે, મારી પાસે પૈસા નથી અને સમાધાન થયેલું ત્યારે રૂપિયા આપી દીધેલા જેથી તે કહેવા લાગેલો તારો પુત્ર મને આપો તેમ કહી રેખાબેન સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેને વચ્ચે બચાવવા પડતા વિધાનને છરી ઝીંકતા બન્નેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે રેખાબેનને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટી ગયો હતો.પોલીસે મુન્ના પટોળીયાની ફરીયાદ પરથી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઇ. એ.એમ. હેરમાએ ગણતરીના કલાકોમાં મુન્ના પટોળીયાને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.