Abtak Media Google News

મોરબીમાં બનેલી ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્ય વ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પંચાયત રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં દુર્ઘટનામાં મોતનો ભોગ બનનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શોક સભા યોજાઈ હતી.

Whatsapp Image 2022 11 02 At 12.35.11 Pm

આ શોક સભામાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડેપ્યુટી ડીડીઓ કાલરીયા તથા વિવિધ શાખા અધિકારીઓ અને તમામ કર્મચારી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન આપ્યાં હતા.

જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ પોત પોતાના વિસ્તારોમાં શોક સભાઓ યોજીને બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન આપ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.