Abtak Media Google News

જુનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા નવી નકોર સ્લીપર કોચ બસ સોમનાથ- ગાંધીનગર અને કેશોદ-નાથદ્વારા રૂટ પર શરૂ કરી છે, આ સાથે 4 નવી ઈલેક્ટ્રિક બસ  જૂનાગઢ-રાજકોટ અને 2 જૂનાગઢ- સોમનાથ વચ્ચે દોડશે.

Advertisement

રાજ્ય સરકારે નવી ફાળવેલી 6 ઈલેક્ટ્રિક બસ સહિત કુલ 14 બસોનો મેયર   ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 4 સ્લીપર કોચ અને 2*2ની 10 લકઝરી બસનો સમાવેશ થાય છે. નવી ફાળવાયેલ સ્લીપર બસોમાં બે બેસ સોમનાથ- ગાંધીનગર અને અન્ય બે બસ કેશોદ-નાથદ્વારા રૂટ પર દોડશે. નવી 6 ઈલેક્ટ્રિક બસ ફાળવવામાં આવી છે તેમાં 4 બસ જૂનાગઢ-રાજકોટ અને 2 જૂનાગઢ- સોમનાથ વચ્ચે દોડશે.

આ પરિવહન સેવામાં વધારો કરતી બસને લીલીઝંડી આપતા જૂનાગઢના ધારાસભ્ય  સંજયભાઈ કોરડીયાએ મુસાફરોને જાહેર મિલકતને પોતાની મિલકત સમજી તેની ખેવના લેવા માટે જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.