Abtak Media Google News

જુનાગઢ સર્કલ હેઠળના તમામ પીજીવીસીએલ ના કોન્ટ્રાકટરોએ સાથે મળીને ભાવ વધારાના મુદ્દે કચ્છ અને અંજાર સર્કલમાં ચાલતા કોન્ટ્રાકટર એસો.ના ધરણા ઉપરાંત કામકાજ બંધ ના એલાનને જુનાગઢ સર્કલનાં તમામ પીજીવીસીએલ કોન્ટ્રાકટરોએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી લેબર કામના ભાવમાં કોઇપણ જાતનો ભાવ વધારો થયો નથી. જેની સામે ડીઝલમાં, લેબર ચાર્જ અને ટ્રાન્સપોર્ટશન ચાર્જમાં અસહ્ય ભાવ વધારો થયેલ છે.

તેથી આર્થિક નુકશાન થાય છે જો ભાવ વધારો ન થાય તો જેના જુનાગઢ સર્કલ ના તમામ પીજીવીસીએલના કોન્ટ્રાકટરો ભાવ વધારાના મુદ્દે કચ્છ અને અંજાર સર્કલ કોન્ટ્રાકટર એસો. ને ટેકો જાહેર કરાયો છે. અને તેની સાથે રહીને યોગ્ય સમયમાં નિર્ણય ન આવે તો દરેક પીજીવીસીએલના કોન્ટ્રાકટરો અચોકકસ મુદત સુધીની જુનાગઢ સર્કલના લેબર કોન્ટ્રાકટરો અમારા સંપૂણર કામકાજ બંધ કરે છે તેમ પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસો. દ્વારા અધિક્ષક ઇજનેરને રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.