Abtak Media Google News

ગુરૂવારે કચ્છ રાજવી પરિવાર માઁ આશાપુરાને જાતક ચડાવશે: દશ લાખ લોકોએ અત્યાર સુધીમાં માઁ આશાપુરાના દર્શનનો લાભ લીધો

ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપસાનાનું સ્થાન અલૌકિક અનોખું અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાતા મા આશાપુર ઉપર અપાર શ્રઘ્ધા અને વિશ્ર્વાસ સાથે ચરણસ્પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાનું મંદીર ઉ૫ર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદીરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદીર ૫૮ ફુટ લાંબુ અને ૩ર ફુટ પહોળું છે. માઁ આશાપુરાની વિશાળ કદની ૬ ફુટની મૂર્તિ છે. માઁ આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માની માનેલ માનતા અને શ્રઘ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. આસો સુદ-૭ બુધવાર તા. ૨૭ સપ્ટેમ્બરના રાત્રીના ૮.૩૦ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના અઘ્યક્ષસ્થાને ગોર મહારાજ દેવક્રિષ્ણ મુળશંકર જોષી તેમજ આમંત્રિત મહેમાનો માઇ ભકતોની ઉ૫સ્થિતમાં હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફૂલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં  આવશે.

આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મઘ્યરાત્રિએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના ૧૨.૧૫ કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણમાં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. તા. ૨૮ સપ્ટેમ્બરના આસો સુદ આઠમના કચ્છ રાજા પ્રાગમલજી ત્રીજા સવારે ૮ કલાકે રાજવી પરિવાર તથા આમંત્રિ મહેમાનો, માઇ ભકતોનો ઉપસ્થિતમાં આ આશાપુરાને જાતક (પતરી) ચડાવશે. કચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા,

નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લીમ પરીવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે.

માં આશાપુરા મંદીરમાં ભુવાશ્રી બાધુભા રામસંગજી ચૌહાણ માતાજીને ધૂપ કરે છે. મા આશાપુરા ધામમાં નિજ મંદીરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકર પાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચરા કુંડ પાસે મા ચાચરા ભવાની માતાજીનું મંદીર આવેલ છે. મા આશાપુરા મંદીર પાસે મા હિંગરાળ માનું ભવ્ય મંદીર આવેલ છે. આરતીનો સમય સવારે ૫ વાગ્યે મંગળા આરતી સવારે ૯ કલાકે ધૂપ આરતી, તેમજ સૂર્યાસ્ત સમય મુજબ સંઘ્યા આરતી થાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવીકોને વિના મૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. નવરાત્રી સમય દરમ્યાન દરેક ભાવિકો માતાજીના દર્શન શાંતિથી થાય તેવી વ્યવસ્થા સ્થાનીક ભાવિકો પોલીસ કર્મચારીઓ હોમગાર્ડઝ જવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.