Abtak Media Google News

કરદાતાઓ-વ્યવસાયીઓ મુખ્ય આવકવેરા કમિશનર મહેરોત્રા સાથે કરી શકશે સીધો સંપર્ક

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, નવી દિલ્હીના દિશાનિર્દેશો અનુસાર મુખ્ય આયકર આયુકત, રાજકોટ દ્વારા કાલે બપોરે ૩ થી ૪ વાગ્યા સુધી રાજકોટના કરદાતાઓ, તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ માટે એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓપન હાઉસ દરમ્યાન કરદાતાઓ તરફથી પ્રાપ્ત થતી ફરિયાદોનું આયકર વિભાગ દ્વારા ત્વરિત નિવારણ કરવામાં આવે છે. રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને નાગરીકો દ્વારા આપવામાં આવતા સૂચનો પર પૂરતું ધ્યાન આપવામા આવશે અને જયાં જરૂર હોય ત્યાં પગલા ભરવામાં આવશે.

રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ તથા નાગરીકોને તેઓ કોઈ પણ પ્રકારની પૂર્વ એપોઈન્ટમેન્ટ વગર મુખ્ય આવકવેરા કમિશનર અજય દાસ મેહરોત્રાને કાલે બપોરે ૩ થી ૪ સુધી છઠ્ઠા માળે, આયકર ભવન, રેસકોર્ષ રિંગરોડ, રાજકોટ સ્થિત આવકવેરા કચેરીમાં તેમના કક્ષમાં મળવાની તકનો અવશ્ય લાભ લેવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.