Abtak Media Google News

શિવભાણ સિંહ, દાદરા નગર હવેલી

Advertisement

આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પોતાના સંસદીય ક્ષેત્ર ઉત્તરપ્રદેશના વારાણસીમાં સમગ્ર રાષ્ટ્રનાં આસ્થાનાં કેન્દ્ર સમાન અદ્ભુત, અદ્વિતીય અને અલૌકિક કાશી વિશ્વનાથ મંદિર નાં કોરીડોરનુ લોકાર્પણ કર્યું તે ઐતિહાસિક પ્રસંગનાં જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં કરવામાં આવ્યું હતું.

ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્યા રાહટકરજીનાં સીધા માર્ગદર્શન હેઠળ દીવ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી બિપીનભાઈ શાહ નાં કુશળ નેતૃત્વ હેઠળ દીવના સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિર ફુદમ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વે દીવ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ દિવંગત શ્રી બિપીન રાવતજી અને અન્ય શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

પ્રદેશ પ્રભારી તરીકેનો પ્રભાર સંભાળ્યા બાદ તેમનો આધિકારિક રીતે દીવમાં આ પ્રથમ કાર્યક્રમ હતો. દીવ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમથી સંતુષ્ટ થઈ તેમણે દીવ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નું અભિનંદન કરી ભાવિ કાર્યક્રમોની સફળતા માટે શુભકામના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.