Abtak Media Google News

900 કરોડ રૂપિયાના ખર્ચે 400 મીટર લાંબા 75 મીટર પહોળો કોરિડોરનું નિર્માણ, જે કાશી વિશ્વનાથ મંદિરને ગંગાના ત્રણ મુખ્ય ઘાટ સાથે જોડશે: યાત્રાળુઓને ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ આપવા માટે 24 બિલ્ડિંગનું નિર્માણ

શ્રીશ્રી રવિશંકર, બાબા રામદેવ, જૈન આચાર્ય લોકેશ મુનિ, યોગી આદિત્યનાથ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરી

3 હજાર જેટલા ધાર્મિક ગુરુઓ, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં કાશી વિશ્ર્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શિવર્ચનના મંત્રોચ્ચાર સાથે ઉદ્ઘાટનવિધિ

 

Advertisement

અબતક, નવી દિલ્હી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 હજાર ધાર્મિક, આધ્યાત્મિક ગુરુઓ, દક્ષિણી શિવ સંપ્રદાયના પૂજારીઓ તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રીઓ સહિતના કેટલાક મહાનુભાવોની હાજરીમાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શિવર્ચનના મંત્રોચ્ચાર સાથે આજે કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

900 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ, જેમાં 400 મીટર લાંબો અને 75 મીટર પહોળો કોરિડોર છે, તે કાશી વિશ્વનાથ મંદિરને ગંગાના ત્રણ મુખ્ય ઘાટ સાથે જોડશે. યાત્રાળુઓને ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ આપવા માટે અહીંયા 24 નવનિર્મિત બિલ્ડિંગ પણ છે. પીએમ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.

’કાશી માટે પીએમના વિઝનના પરિણામના રૂપમાં, કોરિડોર ગંગા અને મંદિર વચ્ચે તીર્થયાત્રાળુઓની મુશ્કેલી મુક્ત અવર જવરની સુવિધા આપે છે અને માત્ર વારાણસી જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વાંચલ પ્રદેશના વિકાસનો માર્ગ મોકળો કરે છે, પ્રવાસના અને વેપારમાં વધારો કરે છે તેમજ અહીંયાના યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરે છે’, તેમ કાશી વિશ્વનાથ મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ કોરિડોરના નિર્માણ પહેલા, કાશિ વિશ્વનાથ મંદિરમાં ગંગામાંથી સીધો પ્રવેશ થતો નહોતો અને ભક્તોએ મંદિર સુધી પહોંચવા માટે ભીડભાડવાળી ગલીઓમાંથી પસાર થવું પડતું હતું. કોરિડોર કાશીને તેના પ્રાચીન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે નવી ઓળખ આપે છે.

કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરના ઉદ્ઘાટન માટે પીએમ તેમજ અન્ય મહાનુભાવોની યજમામી કરવા માટે મંદિર, મંદિર ચોક તેમજ લલિતકાશી ઘાટથી મંદિર સુધીના 400 મીટરના કોરિડોરના વિસ્તાર સહિતની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે’, તેમ ડિવિઝનલ કમિશનર તેમજ શ્રી કાશી વિશ્વનાથ સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન દીપક અગ્રવાલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

સીએમ યોદી મેગા ઈવેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે. તમામ ઘાટ પર આગામી ત્રણ દિવસ સુધી દીવા પ્રગટાવવામાં આવશે. આ સિવાય ત્યાંના સ્થાનિકો પણ પોતાના ઘરોને રોશનીથી સજાવશે. પીએમ દ્વારા કરવામાં આવનારી ધાર્મિક વિધિઓ વિશે વાત કરતાં કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય પૂજારી શ્રીકાંત મિશ્રાએ કહ્યું હતું કે, ’બોય દ્વારા લલિત ઘાટ પહોંચ્યા બાદ, પીએં મોદી ગંગાજળ લાવશે અને પગપાળા કાશી વિશ્વનાથ કોરિડોર જશે. પીએમ સુધી કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પહોંચશે, જ્યાં ત્રણ પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે તેઓ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

13મી ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક દિવસ છે. કાશીમાં એક વિશેષ કાર્યક્રમમાં, શ્રી કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાશીની આધ્યાત્મિક ગતિમાં વધારો કરશે. હું આપ સૌને સોમવારે યોજાનારા કાર્યર્પમમાં સામેલ ખવા માચે આગ્રહ કરું છું’, તેમ વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ ટ્વીટ કર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.