Abtak Media Google News

ગોડસ ઓઇન ક્ધટ્રી કેરાલાનું ટુરીઝમ ઉનાળાની સીઝનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સજજ: રાજકોટમાં રોડ શોનું આયોજન

કેરાલા ટુરિઝમે એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાની સીઝન દરમીયાન પ્રવાસીઓને આકર્ષવા માટેઆ વર્ષે ઉનાળામાં શરુ કરેલી તેની એક વર્ષ લાંબી માકેટીંગ પ્રવૃત્તિ કેમ્પેઇન ના ભાગરુપે ૩૧મી ઓકટોબરને મંગળવારના રોજ રાજકોટના ટુરિઝમ ઉઘોગ સાથે સંકળાયેલી એજન્સી સુધી પહોંચી વિસ્તારવા માટે સજજ છે. જેમાં નવી પ્રોડકટસની સાથે સાથે નવીન ભાડાનો પણ સમાવેશ કરાયો છે. આ અંગે વધુ વિગત આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેરલા ટુરીઝમમાં ડેપ્યુટી ડાયરેકટર નંદકુમાર કે.પી. ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

લોનલી પ્લેનેટના મત અનુસાર બેસ્ટ ફેમીલી ડેસ્ટિનેશનલ, કોન્ડે નેસ્ટ ટ્રાવેલ્સ દ્વારા બેસ્ટ લેઝર ડેસ્ટિનેશનલ તેમજ વર્ષ ૨૦૧૬માં છ નેશનલ ટુરિઝમ એવોડર્સના વિજેતા  કેરાલા એડવેન્ચરનો શોખ ધરાવતા ટ્રાવેલર્સ માટે એકદમ આદર્શ અને અનુકુળ સ્થળ છે. કાયાકિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાસડીંગ અને રિવર રાફિંટગ એડવેન્ચર પેકેજના મુખ્ય હિસ્સા છે. કેરાલા આરામ માટેના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન તરીકે ગણાવાની સાથે સાથે રાજયના વિવિધ સ્થળો એડવેન્ચર પ્રેમીઓને વિશાળ તકો ઓફર કરે છે.તાજેતરમાં યોજાયેલા મલાબાર રિવર ફેસ્ટિવલ, વાયાનાદ સ્પ્લેશ મોનસૂન કાર્નિવલ તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમ કેરાલા સરકારના પ્રવાસન પ્રધાન કડાકકામ્પાલ્લી સુરેન્દ્રને જણાવ્યું હતું.

Dsc 0453 1કલા પ્રત્યે વિશેષ રૂચિ ધરાવતા લોકો માટે રાજયમાં ફોર્ટ કોચી અને કોચી મુઝિરિસ બિનાલે જેવા યાત્રાધામોએ આજે સમકાલીન ભારતીય કલાના લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે. અને તેણે કોચીને ભારતના આર્ટ કેપિટલ તરીકે ઓળખ પ્રાપ્ત કરવામાં મદદ મળી  છે. આ ઉપરાંત મુઝિરિસ હેરિટેજ પ્રોજેકટ મુલાકાતીઓને અન્ય યુગની અનુભૂતિ કરાવે છે એક સમયે આરબ, રોમન્સ, ઇજીપ્તિયન લોકોને મરી, સોના, સિલ્ક અને આઇવરી ઓફર કરતા આ સમૃઘ્ધ બંધર ખાતે તમામ યાદો રપ મ્યુઝિયમમાં સચવાલેયીલ છે. અને તે ભારતનો સૌથ મોટો હૈસ્ટિલ ક્ધઝર્વેશન પ્રોજેકટ છે. આ ઉપરાંત સ્પાઇસ રુટ કયુલિનરી ફેસ્ટિવલ વધુ એક ઐતિહાસિક સ્થળ છે જે ૨૦૦૦ વર્ષ જૂની પ્રાચીન સમુઘ્ધ લિંક તેમજ ૩૦ દેશો સાથેના રાંધણ વારસાને પ્રશર્શિત કરે છે.

કેરાએ વર્ષ ૨૦૧૬માં મોટી સંખ્યામાં ઘરેલું અને આતંરરાષ્ટ્રીય પ્રવાસીઓ આકષયા છે. વર્ષ ૨૦૧૬માં આંતરરાષ્ટીય પ્રવાસીઓની સંખ્યા ૧૦,૩૮,૪૧૯ નોંધાઇ છે. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૬.૨૫ ટકા વધુ છે. ઘરેલું પ્રવાસીઓની સંખ્યા ૧,૩૧,૫૩૫ નોંધાઇ છે. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૫.૬૭ ટકા વધુ છે. ગત વર્ષે રાજયની કુલ આવકના ૧૧-૧૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ઉપરાંત કેરાલામાં આવતા પ્રવાસીઓમાં ૨૫ થી ૩૦ ટકા પ્રવાસીઓ ગુજરાતી હોય છે.‘ ગોકેરાલા એપની મદદથી હોલીડે પ્લાન કરી શકાય છે.

અરેબિયન સમુદ્રના કિનારે તથા પશ્ર્ચિમના ઘાટ પાસે વિકસેલા મલાબાર સ્વાદિષ્ટ મોપ્લાહ કયુઝિનનું ઘર છે. કન્નુર ખાતે નવા એરપોર્ટની રચના સાથે કેરાલા ટુરિઝમ મલાબારને ડેસ્ટિનેશન બનાવાશે. જેની આસપાસ કોઇમ્બતુર, કુર્ગ અને મૈસૂર કેરાલાના નવા ટુરિઝમ ગેટવે છે.

ઘરેલું માર્કેટ સુધી પહોંચ વિસ્તારવા માટે આ વર્ષે કોઇમ્બતુર, મૈસૂર, ગુરગાંવ, અમૃતસર, લખનઉ, ભોપાલ, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને નાગપુરમાં રોડશોનુ આયોજન કરવામાં આવ્યું છે.

કેરાલાની પારંપરિક કલા અને તેની ટુરિઝમ પ્રોડકટસ તથા સંસ્કૃતિની સાથે રાજકોટમાં આયોજીત રોડશો રાજકોટમાં ટુરિઝમ ટ્રેડની તક પૂરી પાડશે. જેમાં કેરાલાના આશરે ૪૦ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પ્લેયર ચર્ચા કરશે. એક વિઝયુઅલ સ્ટોરી દ્રશ્ય થાલ્મામાં કેરાલાની વિવિધ કલા પ્રદર્શિત કરાશે તથા ગોડસ ઓન ક્ધટ્રીના ગામડાના જીવનને પ્રદર્શિત કરાશે વધુ માહીતી કેરાલી ટુરિઝમ વેલસાઇઝ [email protected]પરથી મળી રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.