Abtak Media Google News

મીના ગઢડાના પ્રેમી યુગલે એક જ દોરી પર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવતા પરિવારમાં કલ્પાંત

પ્રેમી પુખ્ત વયનો જયારે પ્રેમિકા સગીર વયની નિકળી, બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કેશોદના સોંદરડા ગામે વાડી વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૂડ સ્વામિનારાયણ ગઢડાના પ્રેમી યુગલે એક જ દોરી પર ગળાફાંસો ખાય જીવા દોરી ટૂંકાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ આજરોજ વહેલી સવારે કેશોદના સોંદરડા ગામમાં વાડી વિસ્તારમાં એક ઝાડ પર પ્રેમી પંખીડાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા આસપાસના રહેવાસીઓએ પોલીસ મથકમાં જાણ કરી હતી. આ ઘટના અંગે પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવકનું નામ હિતેશ સચિનભાઈ ધરોડિયા (ઉ.વ.24) વાળો હોવાનુ અને તેની સાથે આપઘાત કરી લેનાર સગીરા 17 વર્ષની હોવાનુ જાણવા મળ્યું હતું.

આ બંને પ્રેમી પંખીડા સ્વામીના ગઢડા ગામના રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

હિતેશ અને તેની પ્રેમિકા બંનેએ જંગલ વિસ્તારમાં જઈ એક જ દોરી વડે બાવળના ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

મૃતક હિતેશના પરિવારજનોએ મૃતદેહ વતન લઈ જઈ આગળની ગતિવધી હાથધરી છે.જ્યારે મૃતક સગીરાનો પરિવાર મૃતદેહને લેવા આવશે તેવું જણાવ્યું હતું. કેશોદ પોલીસ મથકના સ્ટાફે આ અંગે નોંધ કરી યુગલના આપઘાત પાછળનું સચોટ કારણ જાણવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.