Abtak Media Google News

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. છેલ્લા નવ દિવસથી તેઓ લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. હવે તબીબોએ તેમને રજા આપી છે. ૯૪ વર્ષના અભિનેતાએ ટિવટ કરીને પોતાના પ્રસંશકોનો આભાર માન્યો હતો.

લીલાવતી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ અજયકુમાર પાંડેએ દિલીપકુમારના આરોગ્ય અંગે કહ્યું હતુ કે તેમની તબીયત હવે સારી છે. તેઓ હવે જાતે જ ભોજન પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પહેલા ૩ દિવસ સુધી તબીબોએ તેમના આરોગ્ય સામે ભારે ચિંતા વ્યકત કરી હતી.તેમને કિડનીમા તકલીફ હતી હિમોગ્લોબીન પણ ઘટી ગયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.