Abtak Media Google News

જેતપુરના ખારચિયાના સરપંચ અને તેમના પત્ની સામેપ લાખની ઉચાપતની ગાંધીનગર વિકાસ કમિશનરને ફરીયાદ

જેતપુર તાલુકાના ખારચિયા ગામના સરપંચે અને તેના પત્નીએ કોઇપણ જાતના વિકાસના કામો કર્યા વગર પ લાખ જેવી રકમની ઉચાપત કરી લીધી હોવાની ગ્રામ પંચાયતના સભ્યે ગાંધીનગર વિકાસ કમિશનરને લેખીત ફરીયાદ કરેલ છે.

ખારચીયા ગામના ગ્રામ પંચાયત સભ્ય હંસાબેન મહેશભાઇ ચાવડાએ ગાંધીનગર વિકાસ કમિશનરને લેખીતમાં ફરીયાદ કરેલ કે ગામના સરપંચ ચંદ્રેશભાઇ નાથાભાઇ સેંજલીયા અને તેમના પત્ની જે પક્ષ પંચાયતના સદસ્ય હોય અને દંપતિએ સાથે મળીને ગામમાં કોઇપણ જાતનું વિકાસનું કામ કર્યા વગર પ લાખ જેવી માતબર રકમ પોતાની સહીથી ગ્રામ પંચાયતના એકાઉન્ટમાંથી ઉપાડી ઉચાપત કરી લીધેલ તેઓએ કોઇપણ જાતના પગલા ન ભરતા ગાંધીનગર ખાતે લેખીત ફરીયાદ કરવાની જ‚ર પડી હોય આ ઉચાપત અંગેની તાત્કાલીક તપાસ કરી સરપંચને તેમના હોદા પરથી દુર કરી તેમની પાસે રીકવરી કરવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.